Gandhinagarથી Harsh Sanghviએ 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'નો કરાવ્યો પ્રારંભ, તમામ એસ.ટી.ડેપોમાં કરાશે સફાઈ અભિયાન


  • Published By :
  • Published Date : 2023-12-02 15:15:31

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સફાઈ હોય છે ત્યાં ભગવાનનો વાસ રહે છે. ઘરમાં આપણે સફાઈની તકેદારી રાખતા હોઈએ છીએ પરંતુ જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અનેક લોકો કચરાને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જ્યાં ત્યાં કચરો નાખવાને કારણે અમદાવાદ, રાજ્ય તેમજ દેશમાં ગંદકી ફેલાય છે. રસ્તા પર તો કચરો અનેક વખત દેખાતો હોય છે પરંતુ અનેક એસટી બસો, અનેક એસટી સ્ટેશનો એવા હોય છે જ્યાં સફાઈ નથી હોતી. એસટીબસમાં મુસાફરી કરનારા લોકો એસટી બસમાં જ કચરો નાખી દેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે એસટી બસની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. 

હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેશનની કરી સફાઈ 

ગાંધીનગર ખાતેથી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા પ્રકલ્પનો આરંભ કરાવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ, એસ.ટી.સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ, રક્તદાન કાર્યક્રમ, શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો યોજાશે અને મુસાફરોને એસ.ટી.ની સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનથી રાજ્ય વ્યાપી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. એસ.ટી બસમાં સ્વચ્છતા જળવાય તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હર્ષ સંઘવીએ ઝાડું લઈ બસ સ્ટેશનની તેમજ બસની સાફ સફાઈ કરી. મહત્વનું છે કે અનેક વખત એસટી વિભાગના કર્મચારીઓ પણ પાન-મસાલા ખઈ ટૂકતા હોય છે.   



બસને ગંદી કરવા વાળા સામાન્ય નાગરિકો જ હોય છે!

મહત્વનું છે કે અનેક વખત આપણે જ્યારે એસટી બસની મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ રહેતી નથી જેને કારણે અનેક લોકોને અગવડનો સામનો કરવો પડે છે. બસમાં કચરો દેખાય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બસમાં સફાઈ નથી રહેતી. તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય આપણે એવો વિચાર કર્યો કે આ કચરો આપણામાંથી જ કોઈએ ફેંક્યો હશે. આપણે પણ થોડી સુધરવાની જરૂર છે તેવો અહેસાસ ઘણી વખત થાય છે. એવી માહિતી સામે આવી છે કે એસટી બસમાં સ્વચ્છતા રહે તે માટે ડસ્ટબીન રાખવામાં આવશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!