હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, 'પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં', કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:33:32

કોંગ્રેસના અગ્રણી નેતા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો થોડા દિવસ પહેલા જ પૂરી થઈ પણ તેને લઈ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ હજુ પણ ચાલું જ છે. રાહુલ ગાંધીની પદયાત્રાને નિશાન બનાવીને ભાજપના નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિવાદાસ્પદ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે.


હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું?


રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!! અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ તેમની 3 હજાર કિલોમીટર લાંબી  ભારત જોડો યાત્રા પૂરી કરી છે. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. 


કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આપ્યો જવાબ


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતાએ પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા અને યુવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે 'જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો...!!!' તે જ પ્રકારે ડો. અમિત નાયકે હર્ષ સંઘવી પર શાબ્દિક પ્રહાર કરતું ટ્વિટ કર્યુ, કે 'ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિક શાળાની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડું કહેવાય.' જ્યારે હેમાંગ રાવલે પણ હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપતું ટ્વીટ કર્યું "રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે  @PMOIndia જવાબ ના આપી શક્યા, તમે તો આપો".




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.