મીઠા અંદાજમાં Harsh Sanghviએ પોલીસને સંભળાવી દીધું, સમજાવ્યું PI,પોલીસે કેવી રીતે માણસો સાથે વ્યવહાર કરવો જોઈએ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 16:28:37

જ્યારે આપણે કોઈ મોટી તકલીફમાં હોઈએ છીએ ત્યારે આપણને સૌથી વધારે જરૂર ડોક્ટર અથવા તો પોલીસની પડતી હોય છે. જો આપણી સાથે છેતરપિંડી થઈ છે, ફ્રોડ થયો છે તો આપણે પોલીસનો સંપર્ક કરીએ છીએ અને કોઈ મોટી બિમારી થઈ હોય તો આપણે ડોક્ટરનો સંપર્ક કરતા હોઈએ છીએ. લોકો એવું ઈચ્છે છે કે પોલીસ તેમજ ડોક્ટરના સંપર્કમાં જેટલું ઓછું આવવું પડે તેટલું સારૂં. જો આપણી સાથે ડોક્ટર અગર સારું વર્તન નથી કરતા, આપણે તેમની સાથે comfortable નથી તો બીજા ડોક્ટર પાસે પણ જઈ શકીએ છીએ પંરતુ વાત જ્યારે પોલીસની આવે છે ત્યારે આ શક્ય નથી. પોલીસ ગમે તેવું વર્તન કેમ ન કરે જે વિસ્તારમાં કેસ બનતો હોય તેનો જ સંપર્ક કરવો પડે છે. 

પોલીસ સ્ટેશનમાં જાવ અને સારો અનુભવ થાય તો નસીબદાર કહેવાય

પોલીસ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં વિચારો આવવા શરૂ થઈ જાય કે એક નાનકડા કામ માટે અનેક દિવસો સુધી ધક્કા ખાવા પડશે. પોલીસ અધિકારી આપણને મળશે કે નહીં તે પણ ડર હોય છે. મળશે તો આપણી વાત સાંભળશે કે નહીં, આપણી જોડે કેવો વ્યવહાર કરશે તેવા અનેક સવાલો આપણા દિમાગમાં ચાલતા હોય છે. એક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં સામાન્ય માણસો સાથે કેવું વર્તન કરવામાં આવે છે પોલીસ દ્વારા તે દેખાતું હોય છે. તમે પોલીસ સ્ટેશનમાં ગયા હોવ અને સારો અનુભવ થાય તો તમે નસીબદાર કહેવાઓ તેવી પરિસ્થિતિ છે. 


હર્ષ સંઘવીએ પોલીસને કરી ટકોર અને કહ્યું... 

સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તે આપણે તો જાણીએ છીએ પરંતુ આ વાતને હર્ષ સંઘવી પણ જાણે છે. લોકોને કેટલા કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. વૃદ્ધો સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે તેની પણ હર્ષ સંઘવીએ નોંધ લીધી છે. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પીઆઈ, પીએસઆઈને ઠપકો આપ્યો જેમાં તેમણે કહ્યું કે  તમારા બધા પર નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પાસે, રાજ્ય ગૃહમંત્રી પાસે લોકોને મળવાનો સમય હોય છે, લોકોની સમસ્યાને સાંભળવાનો સમય હોય છે તો પીઆઈ અથવા તો પીએસઆઈ પાસે કેમ સમય નથી હોતો સામાન્ય માણસો સાથે વાત કરવાનો? અનેક એવા મુદ્દાઓ વિશે તેમણે વાત કરી જે સામાન્ય માણસને સીધી રીતે અસર કરે છે.


સામાન્ય માણસ સાથે પોલીસ જે વર્તન કરે છે તે આપણે જાણીએ છીએ 

મહત્વનું છે કે પોલીસ વિભાગમાં માત્ર અમુક જ એવા અધિકારીઓ હશે જે સામાન્ય નાગરિકો સાથે સારો અને માનપૂર્વક વર્તન કરતા હોય છે. મુખ્યત્વે જે કિસ્સાઓ સામે આવે છે તેમાં પોલીસકર્મી દ્વારા તોછળાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. રસ્તા પર જ્યારે પોલીસ પકડે છે ત્યારે તે માણસ સાથે કેવો વ્યવહાર થાય છે તેનાથી આપણે બધા વાકેફ છીએ. મંત્રી હર્ષ સંઘવીને પણ આ વાતની ખબર હશે   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!