અંબાજી મંદિર પ્રસાદ મુદ્દે હર્ષ સંઘવીએ બોલાવી બેઠક, આજે લેવાઇ શકે છે મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-14 13:24:34

શક્તિપીઠ અંબાજીમાં શ્રધ્ધાળુંઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરાવાનો વિવાદ વણસ્યો છે. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટે  અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે રોષ છે. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે અંબાજી પ્રસાદ વિવાદ વકર્યો છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઇ શકે છે. 


બેઠકમાં થશે નિર્ણય


હર્ષ સંઘવીએ બોલાવેલી આ બેઠકમાં રાજ્ય સરકારના અન્ય એક મંત્રી ઋષિકેશ પટેલ મંદિર પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં મોહનથાળનો પ્રસાદ ચાલું રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જ અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું હતુ. અગાઉના નિવેદનમાં ચિકીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’ હવે જ્યારે આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે જ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો છે.


કોંગ્રેસ, VHP અને દાંતાના રાજવીએ પણ કર્યો વિરોધ


અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે અગાઉ વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો વિધાનસભામા ઉઠાવ્યો હતો અને સામુહિક વોક આઉટ કર્યું હતું. જ્યારે દાંતાના રાજવી પરિવારે પણ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.