પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો કેટલા પોલીસ કર્મીઓની કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:35:36

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં અનેક ચર્ચાઓ તેમજ કાર્યવાહી કરવામાં આવી હોય છે. અનેક વખત મહત્વપૂર્ણ જાહેરાતો પણ સત્ર દરમિયાન કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાત ગૃહ વિભાગની માગણીઓ વિશેની ચર્ચા ચાલુ હતી તે દરમિયાન હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. પ્રશ્નોનો જવાબ આપતા જાહેરાત કરી કે 8 હજારથી વધુ પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 


ઉનાળો પૂર્ણ થશે તે બાદ લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા  

મહત્વનું છે કે ગયા વર્ષે પણ પોલીસ વિભાગે દસ હજારથી વધુ પોલીસ પદો માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં એલઆરડી અને પીએસસાઈ પદ માટે ભરતી કરવામાં આવી હતી. ભરતી પૂરી થયા બાદ ગૃહવિભાગે ફરી જાહેરાત કરી હતી કે 2023માં દસ હજાર પદો માટે ફરીવાર પોલીસ ભરતી યોજાશે. જે હવે વિધાનસભા ગૃહમાં જાહેરાત થઈ ગઈ છે કે 8 હજારથી વધુ પદ માટે ભરતી કરવામાં આવશે. જો કે હજુ કોઈ નોટિફિકેશ બહાર પાડવામાં નથી આવ્યું પણ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મૌખિક જાહેરાત થઈ છે તે નોંધવામાં પણ આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ગરમી પૂરી થશે ત્યાર બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે બેથી ત્રણ મહિના બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.


આ જગ્યાઓ માટે કરાશે ભરતી!

ત્યારે મળતી માહિતી અનુસાર રાજ્યના 7384 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 6324 જગ્યાઓ પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. 678 જગ્યા પર જેલ સિપાહી પૂરુષની ભરતી કરવામાં આવશે. બિન હથિયારી પીએસઆઈની 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!