Gandhinagar ST Bus Stationની Harsh Sanghviએ લીધી ઓચિંતી મુલાકાત, વીડિયો જોઈ તમે પણ કહેશો કે....!


  • Published By :
  • Published Date : 2023-12-08 10:23:06

રાજ્યમાં તેમજ દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અનેક કાર્યક્રમો અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અનેક અભિયાનો ચાલી રહ્યા છે પરંતુ રસ્તા પર અનેક વખત ગંદકી દેખાતી હોય છે. એસટી બસમાં સફાઈ રહે તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત થોડા દિવસો પહેલા કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનમાં સફાઈ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની સફાઈ કરી હતી. ત્યારે આ અભિયાનને શરૂ થયે થોડા દિવસો જ થયા ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી.

જ્યાં ત્યાં લોકો નાખી દેતા હોય છે કચરો!

રસ્તા પર જ્યારે આપણે કચરો જોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે સાફ સફાઈ નથી થતી, અથવા તો સફાઈ કરેલી જગ્યા પર ફરીથી ગંદકી થઈ ગઈ! બસોમાં પણ જ્યારે આપણે જ્યારે મુસાફરી કરીએ છીએ ત્યારે પાણીની બોટલો, પેકેટો ત્યાંની ત્યાં મૂકી આવીએ છીએ. એસટી બસમાં, એસટી બસ સ્ટેશન સહિત અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે રસ્તા પર કચરો ફેંક્યો હશે. એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનની હાલત જોઈએ ત્યારે તેની દુર્દશા જોઈને દયા આવી જાય. અનેક એસટી બસ સ્ટેશન એવા હશે જ્યાં લોકોએ પીચકારી મારી હશે, પાણીની બોટલ, વેફરના પેકેટ જ્યાં ત્યાં ફેકી દીધા હશે વગેરે વગેરે. 

ગાંધીનગર એસટી બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત 

એસટી બસમાં જ્યારે લોકો મુસાફરી કરે છે ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ નથી હોતી, કચરો ફેંકેલો હોય છે વગેરે વગેરે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેશન પર સફાઈ જળવાય તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનનોની સફાઈ કરવામાં આવશે. અભિયાન ચાલી થયે હજુ થોડા દિવસ જ વિત્યા છે ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે આવેલા એસટી બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્ટેશનમાં તો ફર્યા પરંતુ બસમાં તેઓ સફાઈ કેટલી જળવાય છે તે જોવા ગયા હતા. મહત્વનું છે કે સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજમાં આવે છે. 


સોશિયલ મીડિયા પર હર્ષ સંઘવીએ શેર કર્યા વીડિયો 

બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. બસમાં બેઠેલા મુસાફરો સાથે પણ તેમણે વાત કરી હતી ઉપરાંત લોકોને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે તેમણે આ પોસ્ટ શેર કરી ત્યારે અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.કોઈએ તેમની પ્રશંસા કરી છે તો કોઈએ પોતાની ફરિયાદ તેમને જણાવી છે. સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજ છે. ત્યારે આપણે પણ કચરો ડસ્ટબીનમાં નાખીએ, સ્વચ્છતા જાળવીએ તેવી આશા કારણ કે નાગરિક તરીકે આપણી પણ અનેક ફરજો છે! 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!