યુવરાજસિંંહને લઈ હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન! સાંભળો ડમી કાંડ મામલે શું કહ્યું હર્ષ સંઘવીએ...


  • Published By :
  • Published Date : 2023-04-24 11:26:24

યુવરાજસિંહ અંગે અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટિલે આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારે હર્ષ સંઘવીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. એ કામ પોલીસે કર્યું છે. પોલીસે સીસીટીવી રજૂ કર્યા છે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.

હર્ષ સંઘવીએ ડમી કાંડ મામલે આપ્યું નિવેદન!

ડમી કાંડ મામલે નવા નવા વળાંક આવી રહ્યા છે. ખંડણીને લઈ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 જેટલા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાને જે માહિતી આપે અને પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.



સી.આર.પાટીલે પણ આપી પ્રતિક્રિયા!

હર્ષ સંઘવી ઉપરાંત સી.આર.પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વીડિયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે"        

    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.