લવ જેહાદ મામલે હર્ષ સંઘવીની ચેતવણી, 'સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો સાંખી નહીં લેવાય'


  • Published By :
  • Published Date : 2023-05-18 18:20:07

લવ જેહાદની કથા વસ્તુ પર આધારીત ફિલ્મ કેરાલા સ્ટોરીની ચોતરફ ચર્ચા છે, ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ધારદાર નિવેદન કર્યું છે. આજે મોરબી ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા આવેલા હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો તેને સાંખી નહીં લેવાય તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાંખી નહીં લેવામાં આવે. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડ્યંત્ર ચલાવી લેવામાં નહીં આવે. આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.


પ્રેમને બદનામ કરનારાને ચેતવણી
 

મોરબી જિલ્લાના નાગરિકોને આજે હું સૂચન અને ચેતવણી આપવા આવ્યો છું. મારું સૂચન ખૂબ ગંભીરતાપૂર્વક અને જેના મનમાં માનવતા પણ બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે. દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર સાહેબ, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામને બદનામ કરવાવાળા કાન ખોલીને સાંભળી લે... કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને જો કોઈ ભોળી દીકરીને ફસાવશે તો એ દીકરીનો ભાઈ બનીને હું આવ્યો છું. કોઇ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે અને કોઇ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે. પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈપણ ભોળી દીકરીને ફસાવશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની કોઇ પણ અરજી કોઇ પણ પરિવારજનો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આવે તો એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે. આવી ફરિયાદ લઈને આવનારાઓને બીજો ધક્કો ખવડાવવામાં ન આવે અને એ જ દિવસે પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરીને પગલાં ભરશે.

 

ષડ્યંત્રકારોને રોકવાની જવાબદારી કાયદાની

 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે હું જણાવવા માગું છું કે આ પ્રકારની ઘટનાઓની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલું છે. એક-એક કિસ્સાને ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. તપાસનાં મૂળિયાં ક્યાં સુધી છે, એ ગુનાનાં મૂળિયાં ક્યાં સુધી છે એ તપાસમાં સો ટકા બહાર આવશે, એની હું આપને ખાતરી આપવા આવ્યો છું. પ્રેમ શબ્દને બદનામ કરનારા એક-એક લોકો એ પછી કોઇપણ હોય, તેને સમજાવવાની જવાબદારી સમાજની છે અને સમજે નહીં, ષડ્યંત્રરૂપી કોઈ કામ કરતા જ રહે તો તેને રોકવાની જવાબદારી કાયદાની છે. એ કાયદાની કામગીરીની જવાબદારી તમે મને આપી છે. તો હું તમને વિશ્વાસ અપાવું છું કે આ બાબતે એકદમ ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે. મોરબીમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે આપેલા આ નિવેદને સૌને ચોંકાવી દીધા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!