Suratમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરની Harsh Sanghviએ કરી સફાઈ, ફોટોઝ શેર કરતા કહી આ વાત, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-15 16:58:02

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામ, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત્ત થાય તે હેતુ આ અભિયાનનો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ વિવિધ મંદિરોની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરની કરી સફાઈ! 

અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ નવ નિર્મિત થઈ રહેલા મંદિરમાં સ્થાપિત થવાની છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થાય તે પહેલા પીએમ મોદીએ એક અપીલ કરી છે. અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા માટે આહ્વાવન કર્યું હતું. દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવના મંદિર પરિસરમાં હર્ષ સંઘવીએ સફાઈ કરી હતી. 

પીએમ મોદીએ કરી હતી આ અભિયાનની શરૂઆત 

સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સ્વચ્છતા કરી હતી. તો સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડા તાલુકાના ઉંદરા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. મહત્વનું છે કે આ અભિયાનની શરૂઆત નાસિકના કાલારામ મંદિરથી પીએમ મોદીએ કરી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.