Harsh Sanghaviએ Rajkot અને Jamnagarમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી, બેઠકમાં અપાઈ આ સૂચના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-22 11:23:14

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે.. રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ તેમને તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદનો અંત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ તેમજ જામનગર હર્ષ સંઘવી આવ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી તેવી માહિતી સામે આવી છે. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ લોકસભા બેઠક થોડા સમયથી ચર્ચામાં છે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી છે પરંતુ તે બાદ પણ વિવાદ શાંત લેવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત ના થયો. 


વિવાદનો અંત લાવવા ભાજપના નેતાઓ મેદાને! 

ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ જે બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ શકે છે, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. ક્ષત્રિય સમાજ જાણે આર યા પારની લડાઈ લડવા તૈયાર હોય તેવું લાગે છે. સમાજના લોકો દ્વારા એવી વાતો કરવામાં આવી કે આંદોલનને આગળ લઈ જવામાં આવશે. આ બધા વચ્ચે આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ ફરી મેદાનમાં આવ્યા છે. 


ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો હતા બેઠકમાં હાજર 

ગઈકાલે રાજકોટ તેમજ જામનગર ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવાઈ હતી જેમાં હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર હતા.  પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કેવી રીતે થાય તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાને સૂચના આપવામાં આવી છે. નેતાઓને સમાજ વચ્ચે જવા કહેવામાં આવ્યું છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન સમાજના લોકો કરે તે માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.