આનંદો! પોલીસ ભરતી અંગે હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત, સપ્ટેમ્બર બાદ લેવાશે ફિઝિકલ ટેસ્ટ


  • Published By :
  • Published Date : 2023-05-18 19:54:55

રાજ્યમાં પોલીસ ભરતી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે ટૂંક સમયમાં અંત આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરી છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું?


પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે.પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોગ્ય વાતાવરણમાં લેવી પડતી હોવાથી ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. હવે કોઈ યુવાને વધુ રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ કારણે આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવશે.


8 હજાર પોલીસકર્મીઓની થશે ભરતી


અત્રે ઉલ્લેખનિય છે કે બે મહિના અગાઉ હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં 325 બિન હથિયારી PSI, હથિયારી, બિન હથિયારી કૉન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવાનું જણાવાયું હતુ. આ ઉપરાંત 628 પુરુષ જેલ સિપાઈ અને 57 મહિલા સિપાઈની ભરતી કરવામાં આવવાની જાહેરાત કરાઈ હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!