હાર્દિક મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે


  • Published By :
  • Published Date : 2022-11-11 16:33:36

ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઇકોર્ટે રાહત આપી છે.મહેસાણા જિલ્લામાં હાર્દિક પટેલ માટે પ્રવેશ દ્વાર ખૂલી ગયા છે. વિસનગર તોડફોડના કેસમાં હાર્દિક પટેલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.1 વર્ષ સુધી હાર્દિક પટેલ માટે મહેસાણા જિલ્લાના દ્વાર ખુલ્યા છે.


શું હતો આખો મામલો ?

વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. 

કોર્ટે હાર્દિકને મહેસાણા જિલ્લામાં જવા મનાઈ ફરમાવી હતી . પાટીદાર અનંત આંદોલનની શરૂઆત આમ જોઈએ તો મહેસાણાથી શરૂ થઈ હતી પહેલૂ તોફાન અને પહેલો કેસ પણ અહીજ થયો હતો. પાટીદારોના ગઢ મહેસાણામાં ના જવા માટે હાર્દિક પટેલને કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જેમાં હવે હાર્દિકને રાહત મળી છે તે હવે 1 વર્ષ સુધી મહેસાણા જિલ્લામાં જઈ શકશે 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.