હાર્દિક મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે


  • Published By :
  • Published Date : 2022-11-11 16:33:36

ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઇકોર્ટે રાહત આપી છે.મહેસાણા જિલ્લામાં હાર્દિક પટેલ માટે પ્રવેશ દ્વાર ખૂલી ગયા છે. વિસનગર તોડફોડના કેસમાં હાર્દિક પટેલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.1 વર્ષ સુધી હાર્દિક પટેલ માટે મહેસાણા જિલ્લાના દ્વાર ખુલ્યા છે.


શું હતો આખો મામલો ?

વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. 

કોર્ટે હાર્દિકને મહેસાણા જિલ્લામાં જવા મનાઈ ફરમાવી હતી . પાટીદાર અનંત આંદોલનની શરૂઆત આમ જોઈએ તો મહેસાણાથી શરૂ થઈ હતી પહેલૂ તોફાન અને પહેલો કેસ પણ અહીજ થયો હતો. પાટીદારોના ગઢ મહેસાણામાં ના જવા માટે હાર્દિક પટેલને કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જેમાં હવે હાર્દિકને રાહત મળી છે તે હવે 1 વર્ષ સુધી મહેસાણા જિલ્લામાં જઈ શકશે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.