ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો, જામનગર કોર્ટે આપ્યો ચુકાદો


  • Published By :
  • Published Date : 2023-02-10 15:57:18

જામનગરના ધુતારપુર-ધૂળસિયા ગામે વિવાદાસ્પદ ભાષણના કેસમાં વિરમગામના  ધારાસભ્ય  હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. જામનગર કોર્ટે MLA હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. 2017ના પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે ચુકાદો આપતા કોર્ટે હાર્દિક પટેલ ઉપરાંત અંકિત ઘેડિયાને નિર્દોષ જાહેર કર્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર વિરૂધ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.


હાર્દિક પટેલ સામે કેસ શું હતો?


પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એ વખતે પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભા યોજાઈ હતી. એ સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને એમાં રાજકીય ભાષણ થતાં આ મુદ્દે ફરિયાદ થઈ હતી. આ મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડિ.ચીફ જૂડી.મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશિદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે. આ સાથે જ હાર્દિક પટેલને મોટી રાહત મળી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.