વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટના અંગે વર્ષ 2021માં અપાઈ હતી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-18 20:11:50

વડોદરાના હરણી લેકમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણ કે બોટમાં કુલ 27 લોકો હોવાની માહિતી સામે આવી છે. મોટનાથ તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ સૌથી ચોંકાવનારો ખુલાસો જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 2021-22માં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તે અંગે આશંકા વ્યક્ત કરી હતી. 


પી.વી. મુરજાણી શહેર કમિશનરને આપી હતી નોટિસ


જાગૃત નાગરિક સંસ્થાના વડા અને સુરસાગર દુર્ઘટમાં મૃતકો માટે વર્ષો સુધી લડત આપનારા પી.વી. મુરજાણીએ વડોદરા મહાનરગરપાલિકાના કમિશનરને વર્ષ 2021-22માં મોટી જાનહાનિ અંગે ચેવવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે હરણી લેક ઝોનમા કોઈ પ્રકારની સુરક્ષા વગર બોટિંગ કરાવવામાં આવે છે તે અંગેની જાણ પણ તેમણે શહેર મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે આ દુર્ઘટના માટે જેટલા કોન્ટ્રાક્ટર કોઠિયા જવાબદાર છે તેટલું જ શહેરનું તંત્ર પણ જવાબદાર ઠરે છે. તેમણે વ્યક્ત કરેલી આશંકા આજે સાચી પડી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.