ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે ખુશ ખબર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:25:16

ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવેથી ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને ફિક્સ પગાર પર 2થી 3 વર્ષ જ રાખવામાં આવશે. અગાઉ ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 2 કે 3 વર્ષ માટે જ રાખવામાં આવતા હતા પરંતુ નિર્ણયમાં ફેરબદલ કરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ પગાર પર રાખી દીધા હતા. હવે આ નિર્ણય બાદ કર્મચારીને ફરીધી 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. 


કર્મચારીઓને થશે આ ફાયદો

અગાઉ પાંચ વર્ષ પગાર ફિક્સ રહેતો હતો ત્યાર બાદ પગાર વધારો થતો હતો. આ પગાર વધારો સારો અને વધારો હોય છે. એટલે કે પહેલા જે પાંચ વર્ષ બાદ પગાર વધારો થતો હતો તે હવે વહેલો થશે. ફિક્સ પગારના 2-3 વર્ષ બાદ જ પગાર વધારો થશે તો કર્મચારીઓને આર્થિક ફાયદો થશે. 


કર્મચારીઓએ ફિક્સ પગારનો સમય ઘટાડવાની કરી હતી માગણી

ચૂંટણી પહેલાનો સમય એટલે કર્મચારીઓની લાગણી અને માગણીનો સમય. ઠીક આવી જ રીતે ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓએ સરકાર સામે માગણી રાખી હતી કે તેમના ફિક્સ પેનો સમયગાળો પહેલા જેટલો હતો તેટલો કરવામાં આવે. પહેલા ફિક્સ પેનો સમયગાળો 2-3 વર્ષ જ હતો. બાદમાં વધારીને 5 વર્ષ કરી દેવાયો હતો. આથી કર્મચારીઓએ માગ ઉઠાવી હતી કે સમયગાળો પાછો 2-3 વર્ષ કરી દેવામાં આવે. આથી રાજ્ય સરકારે કર્મચારીઓની માગણી સંતોષી પોતાની વોટ બેન્ક સુરક્ષિત કરી હતી. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.