દર્દીઓની સુખાકારી માટે રાજકોટની આ હોસ્પિટલમાં દરરોજ થાય છે Hanuman Chalisaનો પાઠ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-31 16:16:36

હોસ્પિટલમાં જ્યારે માણસ દાખલ હોય છે ત્યારે તેને સૌથી વધારે જરૂર હોય છે એક આશાની કે બધુ ઠીક થઈ જશે. એક એવી ઉમ્મીદ જે તેને જીવવાનું કારણ આપે. માણસો જ્યારે દર્દમાં હોય છે ત્યારે મુખ્યત્વે પોતાના ઈષ્ટને યાદ કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મંદિર કરતા પણ વધારે પ્રાર્થનાઓ જો ક્યાંય સંભળાતી હોય તો તે છે હોસ્પિટલ. હોસ્પિટલમાં દર્દી જલ્દી સાજો થઈ ઘરે પરત ફરે તે માટે લોકો પ્રાર્થના કરે છે. અનેક લોકો એવું માને છે કે જો દવાની સાથે દુઆ પણ ઉમેરાઈ જાય તો દર્દી જલ્દી સાજો થઈ જાય છે. ત્યારે આવો જ એક પ્રકારનો પ્રયોગ રાજકોટની એક હોસ્પિટલમાં કરવામાં આવે છે. ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત હોસ્પિટલમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમજ દર્દીઓ દ્વારા હનુમાનચાલીસાના પાઠ નિત્ય કરવામાં આવે છે. 


દરરોજ સવારે હોસ્પિટલમાં કરાય છે હનુમાન ચાલીસાના પાઠ 

મંદિરોમાં આપણે ધૂન થતી હોય કે પ્રાર્થના કરાતી હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ રાજકોટની એક હોસ્પિટલ છે જ્યાં દરરોજ સવારે હનુમાન ચાલીસા ગાવાની પરંપરા છે. દર્દીઓની સુખાકારી માટે અનેક વર્ષોથી વહેલી સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. દર્દીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ભાવ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. એવું પણ સામે આવ્યું છે કે આ પ્રયોગને કારણે દર્દીઓના આરોગ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર દરરોજ સવારે એક હોલમાં આખો સ્ટાફ ભેગો થાય છે અને ત્યારબાદ હનુમાન ચાલીસા વગાડવામા આવે અને જોડે જોડે લોકો પણ તેનું ગાન કરે છે. 


દર્દીઓના આરોગ્યમાં પણ જોવા મળે છે સકારાત્મક ફેરફાર 

હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ પણ ભક્તિમય બની જતું હોય છે. હોસ્પિટલમાં ચાલતા આ પ્રયોગમાં અનેક દર્દીઓ પણ જોડાય છે. આરોગ્યમાં પણ સકારાત્મક ફેરફાર દર્દીઓને અનુભવાય છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.