હલવા સેરેમની બાદ 'લોક' થયા નાણા મંત્રાલયના 100 કર્મચારીઓ, 1 ફેબ્રુ. બાદ આવશે બહાર, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-01-26 21:53:06

બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આજે નાણામંત્રાલયમાં યોજાયેલી હલવો સેરેમનીમાં નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ સાથે સ્વાદિષ્ટ હલવાની મજા માણી હતી. ગુરુવારે પરંપરાગત હલવા સેરેમની સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ થઈ શકી ન હતી. દર વર્ષે બજેટની તૈયારી માટે લોક-ઇન પ્રક્રિયા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. 


અધિકારીઓ ભોયરામાં બંધ


હલવા સેરેમની પછી, નાણા મંત્રાલયના કેટલાક પસંદગીના અધિકારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી જ આ લોકોને બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કે બજેટ સંબંધિત કોઈ માહિતી લીક ન થાય તેટલા માટે તેમને લોક-ઈન કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેઓ પરિવારજનો, મિત્રોને મળી શક્તા નથી. 


પોલીસ અને IBની રહેશે છે નજર


બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા લગભગ 100 કર્મચારીઓને એક સપ્તાહ સુધી પરિવારથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન તેમને મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટ નથી. એટલે કે તેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા રહે છે. ગુપ્તચર વિભાગ તેમના પર સતત નજર રાખે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં અધિકારીઓને આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ અધિકારીઓ માટે ડોક્ટરોની એક ટીમ પણ હાજર રહે છે. જો કોઈ અધિકારીની તબિયત બગડે તો તેમની સારવાર થઈ શકે તે માટે આવું કરવામાં આવે છે. આ અધિકારીઓ પર સતત CCTVથી નજર રાખવામાં આવે છે.




માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.