હાલોલ GIDCમાં ઔદ્યોગિક યુનિટની દીવાલ પડી, MPથી પેટીયું રળવા આવેલા પરિવારના 8 લોકો દટાયા, 4 માસુમોના મોત


  • Published By :
  • Published Date : 2023-06-29 18:01:12

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતી દુર્ઘટનામાં મરો તો સામાન્ય અને નિર્દોષ માણસોનો થતો હોય છે. જેમ કે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની GIDCમાં એક દિવાલ ધરાશાયી થતાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાં 4 બાળકોના મોત થયા હતા અને 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં 2 મહિલા સહિત 4 લોકો હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


MPથી પેટીયું રળવા આવ્યો હતો પરિવાર


મધ્યપ્રદેશથી ગુજરાતમાં પેટીયું રળવા આવેલા કરવા આવેલા જીતેન્દ્રભાઈ ડામોર અને અંબારામ ભુરીયાના પરિવારજનો દીવાલ નીચે દબાયા હતા. જેમાં જીતેન્દ્રભાઈ ડામોરે એક દીકરો અને અંબારામ ભુરીયાએ તેમના ત્રણ સંતાનો ગુમાવ્યા છે. મૃતક બાળકોમાં અભિષેક અંબારામ ભુરીયા (04 વર્ષ), ગુનગુન અંબારામ ભુરીયા (02 વર્ષ), મુસ્કાન અંબારામ ભુરીયા (05 વર્ષ), ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં પાર્વતીબેન અંબારામ (26 વર્ષ), આલિયા જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ),મીત જીતેન્દ્રભાઈ ડામોર (02 વર્ષ), હીરાબેન જીતેન્દ્રભાઈ ડામોર (25 વર્ષ)નો સમાવેશ થાય છે.


એકની ભૂલની સજા બીજાને મળે તે કેવું?


રાજ્યમાં કોઈ પણ હોનારત કે દુર્ઘટનામાં બનતું એવું હોય છે કે બીજાની ભૂલની સજા નિર્દોષોને મળતી હોય છે. આપણે ભૂતકાળની ઘટનાઓમાંથી પણ શીખતા નથી. જેમ કે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સ્લેબ તુટવાની ઘટના હોય કે જામનગરમાં બિલ્ડિંગ ઘરાશાઈ થવાની ઘટના, યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તુટી પડવો કે પછી ક્યારેય ન ભૂલી શકાય તેવી મોરબી બ્રિજ દુર્ઘટના, આ તમામ દુર્ઘટનાઓ વચ્ચે સામ્યતા એ છે કે બીજાની ભૂલના કારણે નિર્દોશ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારી જ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર કહીં શકાય. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!