હાલોલ GIDCમાં ઔદ્યોગિક યુનિટની દીવાલ પડી, MPથી પેટીયું રળવા આવેલા પરિવારના 8 લોકો દટાયા, 4 માસુમોના મોત


  • Published By :
  • Published Date : 2023-06-29 18:01:12

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતી દુર્ઘટનામાં મરો તો સામાન્ય અને નિર્દોષ માણસોનો થતો હોય છે. જેમ કે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની GIDCમાં એક દિવાલ ધરાશાયી થતાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાં 4 બાળકોના મોત થયા હતા અને 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં 2 મહિલા સહિત 4 લોકો હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


MPથી પેટીયું રળવા આવ્યો હતો પરિવાર


મધ્યપ્રદેશથી ગુજરાતમાં પેટીયું રળવા આવેલા કરવા આવેલા જીતેન્દ્રભાઈ ડામોર અને અંબારામ ભુરીયાના પરિવારજનો દીવાલ નીચે દબાયા હતા. જેમાં જીતેન્દ્રભાઈ ડામોરે એક દીકરો અને અંબારામ ભુરીયાએ તેમના ત્રણ સંતાનો ગુમાવ્યા છે. મૃતક બાળકોમાં અભિષેક અંબારામ ભુરીયા (04 વર્ષ), ગુનગુન અંબારામ ભુરીયા (02 વર્ષ), મુસ્કાન અંબારામ ભુરીયા (05 વર્ષ), ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં પાર્વતીબેન અંબારામ (26 વર્ષ), આલિયા જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ),મીત જીતેન્દ્રભાઈ ડામોર (02 વર્ષ), હીરાબેન જીતેન્દ્રભાઈ ડામોર (25 વર્ષ)નો સમાવેશ થાય છે.


એકની ભૂલની સજા બીજાને મળે તે કેવું?


રાજ્યમાં કોઈ પણ હોનારત કે દુર્ઘટનામાં બનતું એવું હોય છે કે બીજાની ભૂલની સજા નિર્દોષોને મળતી હોય છે. આપણે ભૂતકાળની ઘટનાઓમાંથી પણ શીખતા નથી. જેમ કે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સ્લેબ તુટવાની ઘટના હોય કે જામનગરમાં બિલ્ડિંગ ઘરાશાઈ થવાની ઘટના, યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તુટી પડવો કે પછી ક્યારેય ન ભૂલી શકાય તેવી મોરબી બ્રિજ દુર્ઘટના, આ તમામ દુર્ઘટનાઓ વચ્ચે સામ્યતા એ છે કે બીજાની ભૂલના કારણે નિર્દોશ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારી જ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર કહીં શકાય. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.