હલ્દ્વાની રેલ્વે જમીન કેસ: સુપ્રીમ કોર્ટની લોકોને મોટી રાહત, દબાણો હટાવવા પર સ્ટે


  • Published By :
  • Published Date : 2023-01-05 15:11:51

ઉત્તરાખંડના હલ્દ્વાની રેલ્વે જમીન કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે નૈનીતાલ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અસરગ્રસ્તોને  મોટી રાહત આપતા રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. સુપ્રીમે રેલવેને પણ નોટિસ ફટકારી છે, અને આગામી 7 ફેબ્રુઆરી સુધી દબાણ નહીં હટાવવાનો હુકમ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટના આ  ચુકાદાથી પીડિત પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


ઉત્તરાખંડ હાઈકોર્ટે આપ્યો હતો ચુકાદો


ઉત્તરાખંડ હાઈકોર્ટે 20 ડિસેમ્બરે હલ્દાનીમાં રેલવે જમીન પરના દબાણો હટાવવા માટે હુકમ આપ્યો હતો. રાજયનું વહીવટીતંત્ર પણ આ  દબાણોની તૈયારીમાં લાગી ગયું હતું.  જો કે આ દરમિયાન બે જાન્યુઆરીએ અસરગ્રસ્તોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેના પર આજે સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોના હિતમાં ચુકાદો આપ્યો હતો.


હલ્દ્વાની વસાહત વિવાદ શું છે? 


ઉત્તરાખંડના હલ્દ્વાનીના બાનભૂલપુરાના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગર આવેલા છે. જ્યાં રેલ્વે દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે, કિમી 82.900 થી 80.170 રેલ્વે કિમી વચ્ચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, નહીં તો દબાણ દૂર કરવામાં આવશે અને અતિક્રમણ કરનારાઓ પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.


રેલવેના જણાવ્યા અનુસાર 2013માં ગૌલા નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને મામલો સૌપ્રથમ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ પહેલા તે કિસ્સામાં એવું જાણવા મળ્યું હતું કે, રેલ્વેની બાજુમાં રહેતા લોકો જ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા હતા. ત્યારે દાવો કરવામાં આવે છે કે, હાઈકોર્ટે રેલવેને પક્ષકાર બનાવીને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધમાં અરજી દાખલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓની દલીલો સાંભળવાનો પણ નિર્દેશ આપ્યો છે. રેલવેનો દાવો છે કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ અતિક્રમણ કરનારાઓને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવેનો દાવો છે કે, તેની પાસે જૂના નકશા, 1959નું નોટિફિકેશન, 1971નો રેવન્યુ રેકોર્ડ અને 2017નો સર્વે રિપોર્ટ છે.


પરંતુ હાથમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળો અને દલીલો સાથે લોકો પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે રેલવેની જમીન પર દબાણ કર્યું નથી, રેલવે અમારી પાછળ પડી છે. હાલમાં રેલવેના 4400 પરિવારો અને 50 હજાર લોકો દબાણ કરનાર છે કે પછી તેઓ પોતાના ઘર બચાવવા લાચારીના વળાંક પર ઉભા છે. 



૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.

યુએસના ડિપાર્ટમન્ટ ઓફ એનર્જીએ હોલ્ટેક ઇન્ટરનેશનલ નામની કંપનીને ભારત માટે સ્મોલ મોડ્યૂલર રિએક્ટરનું ઉત્પાદન કરવા અને ડિઝાઇન કરવા મંજૂરી આપી દીધી છે . તેની મદદથી ભારત સ્મોલ મોડ્યૂલર રિએક્ટરની ચેનમાં ચાઈનાને ટક્કર આપી શકશે . ૨૦૦૮માં ભારત અને અમેરિકા વચ્ચે જે અસૈન્ય પરમાણુ કરારો થયા હતા તેનું વ્યવહારિક અમલીકરણ હવે શરુ થયું છે.

The case of Rajkumar Jat's death is becoming more and more discussed day by day and its repercussions are also being felt in other states besides Gujarat. There is immense anger in the Jat community and now it seems that this protest is going to intensify in the next two days.