નારાજ હકુભા જાડેજા દિલ્લીથી ફોન આવતા માની ગયા, જામનગરમાં રિવાબા માટે કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-13 18:28:36

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસ રહ્યા છે અને રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ છે. ભાજપે પણ તેના 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની નવી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં વિરોધના સુર સંભળાવાનું શરૂ થયું છે. જામનગરમાં રિવાબા જાડેજાનું નામ જાહેર થયા બાદ પૂર્વ ધારાસભ્ય હકુભા જાહેજા પણ નારાજ હતા. પોતાની ટિકિટ કપાતા હકુભાએ પોતાના સોશિયલ મીડિયા પરથી ભાજપના ખેસ સાથેનો ફોટો પણ હટાવી દીધો હતો. જો કે હવે હકુભાને મનાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા છે. 


નારાજ હકુભાને મનાવવામાં ભાજપ સફળ


જામનગર વિધાનસભાની સીટ માટે હકુભા જાડેજાની ટિકિટ નક્કી મનાતી હતી. જો કે છેલ્લી ઘડીએ તેમનું પત્તુ કપાતા સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. ભાજપે તેમના સ્થાને વિરેન્દ્ર જાડેજાના પત્ની રિવાભાને ટિકિટ આપી દીધી છે. ટિકિટના પ્રબળ દાવેદાર હકુભા જાડેજાને પાર્ટીના આ નિર્ણયથી ઝટકો લાગ્યો હતો, જો કે હવે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ હકુભાને મનાવવામાં ભાજપ હાઈકમાન્ડ સફળ રહ્યું છે.  દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકુભા જાડેજા રિવાબાનું ઉમેદવારી ફોર્મ ભરવા સમયે અને તેમની સાથેના પ્રચાર અભિયાનમાં પણ જોડાશે તેવું જાણવા મળી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.