હાફિઝ સઈદે PM મોદીને ખુનની નદીઓ વહાવવાની આપી ધમકી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-26 14:31:39

ભારતમાં મુંબઈ સહિત અનેક આતંકવાદી હુમલાઓના દોષી લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે ફરી એક વખત ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું છે. ઘોટકીમાં કેટલાક હિંદુઓના ધર્મ પરિવર્તનના સમાચાર બાદ હવે આ મોસ્ટ વોન્ટેડ આતંકીનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જનતાને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતા પાણીને રોકશે તો તે પીએમ મોદીનો શ્વાસ રૂંધી નાખશે.


હાફિઝે શું ધમકી આપી?


વાયરલ વિડીયોમાં આતંકી હાફિઝ પીએમ મોદીનું નામ લઈને કહીં રહ્યો છે કે "તે ઢાકા યુનિવર્સિટીમાં મંચ પર ઉભા રહીને કહ્યું  કે પાકિસ્તાનને તોડી અમે બાંગ્લાદેશ બનાવ્યું છે, એમ કહીંને તુ કહે કે હાફિઝ સઈદ ચુપ રહે તો હું ચુપ નહીં રહું, તારી જીભ ખેંચીને રહીશું, તું ઈસ્લામાબાદ પર દબાણ કરી રહ્યો છે કે હાફિઝ શહિદ શું બોલી રહ્યો છે તો તું જે બોલીશ અમે પણ બોલીશું"


હાફિઝ સઈદે ભાષણમાં વધુમાં કહ્યું કે "તું કહે છે કે પાકિસ્તાનનું પાણી રોકીશું, કાશ્મીરમાં ડેમ બનાવીને પાકિસ્તાનનું પાણી રોકીશ, સાંભળી લે તું જો પાણી બંધ કરીશ તો અમે તારો શ્વાસ બંધ કરી દેઈશું. આ નદીઓમાં ફરી લોહી વહેશે" હાફિઝ સઈદનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.