દેશમાં વધી રહ્યા છીએ H3N2 વાઇરસના કેસ, ICMRએ આપી ચેતવણી, જાણો શું છે રોગના લક્ષણો અને બચાવ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:25:07

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાઇરસજન્ય બિમારીઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ઈન્ફલ્યુએન્ઝાના કેસએ સરકાર અને લોકોની ચિંતા વધારી છે. ફ્લૂના વધતા જતા કેસોને કારણે લોકો ભયભીત બન્યા છે, કારણ કે તેની સામે લડી રહેલા દર્દીઓમાં કોરોના જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવા ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જેઓ 10-12 દિવસથી તાવ સાથે ઉધરસથી પરેશાન છે.


H3N2 વાઇરસનો કહેર


ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે.


બિમારીના લક્ષણો શું છે?


જે દર્દીઓ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત છે તેવા આ ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણોમાં માનવામાં આવે છે.


IMA શું સલાહ આપી?


દેશમાં વધી રહેલા વાઈરસજન્ય રોગોને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. IMAના જણાવ્યા પ્રમાણે શરદી, તાવ અને ઉબકા આવે તો લોકો વિચાર્યા વિના એન્ટિબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. એસોસિયેશને ડોક્ટરોને દર્દીઓનાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ ન કરવા જણાવ્યું છે. વધુ એન્ટિબાયોટિક્સ લેવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વળી આમ પણ એક અઠવાડિયામાં ફ્લૂ મટી જાય છે.


ચેપથી બચવા માટે શું કરવું?


ડોકટરોની સલાહ છે કે, કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેના સંક્રમણને ઓછું કરી શકાય છે.

જે લોકોને ચેપનું લક્ષણ છે, તેમના નજીકના સંપર્કથી બચશે.

બીમાર થવા પર ઘર પર રહો અને આરામ કરો.

હાથોની સાફ-સફાઈનું ધ્યાન રાખો.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાયો કરો.

છીંક અને ખાંસતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.

આંખ, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!