Gandhinagarમાં H TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન, અનેક પડતર માગણીઓ સાથે કરી રહ્યા છે આંદોલન, શિક્ષણ મંત્રીએ કરી હતી ટ્વિટ કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-16 13:56:15

થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન માટે મેદાને ઉતર્યા હતા. ત્યારે આજે ફરી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગણી લઈને આમરણ ઉપવાસ સાથે આંદોલન કરવા બેઠા છે. ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલન કર્યું તે બાદ સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી પરંતુ હવે HTAT શિક્ષકો મેદાને આવ્યા છે પોતાની માગ સાથે.  

ગાંધીનગરમાં H-TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન

H-TAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યા પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે સરકારે કહ્યું હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી દેવામાં આવશે. પણ એ ન થયું એટલે આજે ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીએ ભેગા થયા છે. 


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ...

ગુજરાતના H-TAT મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 15 જુલાઈ સુધી બદલીના નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. એ જાહેરાત બાદ તરત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે H-TAT મુખ્ય શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી.સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે 

“સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ, આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કા માં છે. ટૂંક સમય માં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલ ના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ કરું છું.” પણ એ અપીલની કોઈ અસર ન થઈ અને શિક્ષકો આજે ગાંધીનગર ભેગા થયા છે તો ત્યાં શું થાય છે તે જોવાનું રહ્યું. 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..