Gandhinagarમાં H TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન, અનેક પડતર માગણીઓ સાથે કરી રહ્યા છે આંદોલન, શિક્ષણ મંત્રીએ કરી હતી ટ્વિટ કે...


  • Published By :
  • Published Date : 2024-07-16 13:56:15

થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન માટે મેદાને ઉતર્યા હતા. ત્યારે આજે ફરી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગણી લઈને આમરણ ઉપવાસ સાથે આંદોલન કરવા બેઠા છે. ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલન કર્યું તે બાદ સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી પરંતુ હવે HTAT શિક્ષકો મેદાને આવ્યા છે પોતાની માગ સાથે.  

ગાંધીનગરમાં H-TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન

H-TAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યા પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે સરકારે કહ્યું હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી દેવામાં આવશે. પણ એ ન થયું એટલે આજે ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીએ ભેગા થયા છે. 


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ...

ગુજરાતના H-TAT મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 15 જુલાઈ સુધી બદલીના નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. એ જાહેરાત બાદ તરત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે H-TAT મુખ્ય શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી.સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે 

“સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ, આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કા માં છે. ટૂંક સમય માં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલ ના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ કરું છું.” પણ એ અપીલની કોઈ અસર ન થઈ અને શિક્ષકો આજે ગાંધીનગર ભેગા થયા છે તો ત્યાં શું થાય છે તે જોવાનું રહ્યું. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.