ગ્યાસુદ્દીન શેખે લખ્યો હતો ચંડાળ ચોકડી વાળો લેટર, રાજકારણ ગરમાયા બાદ કરી આ ટ્વિટ, જાણો શક્તિસિંહ ગોહિલ વિશે શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-06-24 17:01:34

કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. નિષ્ણાંતોના માનવા અનુસાર નેતાઓ વચ્ચે ચાલતા ડખાની અસર કોંગ્રેસના સંગઠનમાં પડતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા હાઈ કમાન્ડે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે કરી છે. શક્તિસિંહ ગોહિલ સેટ થાય તે પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા માનવામાં આવતા ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ તેમને ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠી લખીને તેમણે શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી હતી. ગઈકાલે આ વાત ચર્ચાનો વિષય બની હતી ત્યારે આજે તેમની બીજી ટ્વિટ ચર્ચામાં છે. પોતાની ટ્વિટમાં તેમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ સાથે આ મામલે બેઠક થઈ હતી અને અમે આ મુદ્દાને સમાપ્ત કરી રહ્યા છીએ.

         

ગઈકાલે નેતાએ લખ્યો હતો પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કોંગ્રેસના ફાળે માત્ર ગણતરીની સીટો આવી હતી. કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત આપણી સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી વિનંતી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે.



તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."



શક્તિસિંહ ગોહિલ માટે ગ્યાસુદ્દીન શેખે કહી આ વાત 

નેતાઓ દ્વારા લખવામાં આવેલા આ પત્રને નિષ્ણાંતો લેટર બોમ્બ કહેતા હતા. શક્તિસિંહને મળેલા પત્ર પર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આજે ફરી એક વખત ગ્યાસુદ્દીન શેખે આ મામલે ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જે મામલે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું હતું તેની મુદ્દે શક્તિસિંહ ગોહીલ સાથે બેઠક થઈ હતી અને તે સકારાત્મક રહી હતી. અમે આ મામલાને અહીંયા જ ખતમ કરી રહ્યા છીએ. અમારો વિરોધ શક્તિસિંહ ગોહિલ વિરૂદ્ધ ક્યારેય ન હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!