જ્ઞાનવાપીમાં શિવલિંગની કાર્બન ડેટિંગ પર સપ્રીમે આપ્યો સ્ટે, આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-19 18:54:09

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને શિવલિંગ જેવી રચનાની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મસ્જિદ સમિતિના પદાધિકારીઓનું કહેવું છે કે આ આકૃતિ મસ્જિદ પરિસરમાં બનેલા વજુ ખાનામાં આવેલા ફુવારાઓનો એક ભાગ છે.


દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમે આપ્યો સ્ટે


મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે- અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ હોવા છતા આ આદેશ આપ્યા હતા. હુઝૈફાની દલીલ સાંભળ્યા બાદ બેંચે અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે શિવલિંગ જેવી આકૃતિના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગ માટે હાઇકોર્ટના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હિન્દુ અરજદારોને પણ નોટિસ જારી કરી હતી.


આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોના ક્રિયાન્વયન આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મામલાની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પણ પ્રતિબંધ યથાવત રહશે. આ પહેલા સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીની દલીલોનું સંજ્ઞાન લીધું હતું અને અરજી પર શુક્રવારે સુનાવણી માટે સૂચીબદ્ધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.


મુસ્લિમ પક્ષે શું દલીલ કરી?


જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીએ દલીલ કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અપીલ પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેનાં રોજ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા સંરચનાની ઉંમર નિર્ધારિત કરવાનો આદેશ આપ્યો હતો, જે સંરચનાને શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના તે આદેશને રદ કરી દીધો હતો જે અંતર્ગત મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મળેલી સંરચનાની કાર્બન સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનો અનુરોધવાળી અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ વારાણસીના જિલ્લા ન્યાયાધીશને શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાના હિન્દુ પક્ષના અનુરોધ પર કાયદા મુજબ આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!