અલ્લાહબાદ હાઈકોર્ટે સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવાનો આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-12 18:44:08

અલ્લાહબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વચ્ચેના વિવાદમાં મહત્વો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવામાં આવે. કોર્ટે જિલ્લાના જજના આદેશનો પણ રદ્દ કર્યો હતો. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર મિશ્રાની બેંચે ASIની રિપોર્ટના આધારે કથિત શિવલિંગનું સાયન્ટિફિક સર્વેની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજીકલ સર્વેને પણ કહ્યું છે કે શિવલિંગને કોઈ પણ પ્રકારે ખંડિત કર્યા વગર જ તેની વૈજ્ઞાનિક તપાસ કરે"


કાર્બન ડેટિંગ શું છે?


કાર્બન ડેટિંગ એ પ્રક્રિયાનું નામ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ ચીજની ઉંમર જાણી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા લાકડું, પથ્થર,બીજાણું, ચામડું, વાળ, કંકાલ, વગેરેની વય જાણી શકાય છે. એટલે કે કોઈ પણ ચીજ જેમાં કાર્બનિક અવશેષ હોય છે, તેની લગભગ ઉંમર આ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે. આ જ કારણે ફરિયાદી પક્ષની ચાર મહિલાઓએ જ્ઞાનવાપી પરિસરમાં સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કે કોઈ અન્ય આધુનિક સિસ્ટમ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.


વિવાદનું કારણ અને કાર્બન ડેટિંગનો ઉપયોગ જાણો 


જ્ઞાનવાપી વિવાદ અંગે, હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં-પ્રદર્શિત જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિર લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિરને તોડી પાડ્યું હતું. ફરિયાદી પક્ષના દાવામાં કહેવામાં આવ્યું છે કે મંદિર તોડીને તેની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી હતી, જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. જો કાર્બન ડેટિંગમાં કથિત શિવલિંગ તે સમયની આસપાસ મળી આવે તો આ બાબતમાં તેને મોટી સફળતા કહેવાશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.