Gyanvapi Case: મુસ્લિમ પક્ષને ઝટકો, શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ HCએ અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-31 20:52:15

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે સંકળાયેલા શૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજીને ફગાવી દીધી છે. અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જેજે મુનીરના નિર્ણય બાદ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.આજે જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. અગાઉ, દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.


મહિલાઓએ પૂજાના અધિકાર માટે કરી હતી અરજી


રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ પ્રતિવાદીના દાવો યથાર્થતાની સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ હેઠળ, કોર્ટને દાવો સાંભળવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે સમિતિની અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી વતી વરિષ્ઠ એડવોકેટ એસએફએ નકવી, ઝહીર અસગર, ફાતિમા અંજુમ તથા સામે પક્ષે એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન, પ્રદીપ શર્મા, સૌરભ તિવારી, પ્રભાષ પાંડે, વિનીત સંકલ્પ, એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી, ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન પંથકના મુખ્ય સ્થાયી વકીલે  દલીલો કરી હતી.


હાઈકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય


જ્ઞાનવાપી મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીની અરજી ફગાવી દેવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર આ મામલામાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી અને તેને ફગાવી દીધી. આ નિર્ણય દેશના તમામ હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો છે.


મુસ્લિમ પક્ષની દલીલ જ ફગાવી


મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ આ અરજી સાંભળવા યોગ્ય નથી. મહિનાઓની સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશની કોર્ટે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.