Gyanvapi Case: મુસ્લિમ પક્ષને ઝટકો, શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ HCએ અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-31 20:52:15

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે સંકળાયેલા શૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજીને ફગાવી દીધી છે. અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જેજે મુનીરના નિર્ણય બાદ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.આજે જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. અગાઉ, દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.


મહિલાઓએ પૂજાના અધિકાર માટે કરી હતી અરજી


રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ પ્રતિવાદીના દાવો યથાર્થતાની સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ હેઠળ, કોર્ટને દાવો સાંભળવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે સમિતિની અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી વતી વરિષ્ઠ એડવોકેટ એસએફએ નકવી, ઝહીર અસગર, ફાતિમા અંજુમ તથા સામે પક્ષે એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન, પ્રદીપ શર્મા, સૌરભ તિવારી, પ્રભાષ પાંડે, વિનીત સંકલ્પ, એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી, ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન પંથકના મુખ્ય સ્થાયી વકીલે  દલીલો કરી હતી.


હાઈકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય


જ્ઞાનવાપી મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીની અરજી ફગાવી દેવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર આ મામલામાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી અને તેને ફગાવી દીધી. આ નિર્ણય દેશના તમામ હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો છે.


મુસ્લિમ પક્ષની દલીલ જ ફગાવી


મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ આ અરજી સાંભળવા યોગ્ય નથી. મહિનાઓની સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશની કોર્ટે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.