Gyan sahayakનો વિરોધ : AAP-Congress માટે રાજનીતિક માહોલ! ઉમેદવારો માટે નોકરી પણ બાળકોને કોણ આપશે શિક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-10-21 13:27:06

 અનેક વખત જ્ઞાન સહાયકનો મુદ્દો અમે એટલે કે જમાવટ વાળાએ ઉપાડ્યો છે. જ્ઞાન સહાયકને લઈ આંદોલન થાય છે ત્યારે ત્યારે અમે એ ન્યુઝને કવર કરી છે. અમે એ લોકોનો અવાજ બન્યા છીએ જે શિક્ષણ માટે આંદોલન કરે છે કારણ કે અમને દેશના ભાવિના શિક્ષણની ચિંતા છે. ગઈકાલે જ્ઞાન સહાયકના વિરોધમાં અને ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ એક રેલી કાઢવામાં આવી હતી.

જ્યાં સુધી આંદોલન નથી થતું ત્યાં સુધી નથી ખેંચાતું લોકોનું ધ્યાન 

આવા મુદ્દાઓ રાજકીય પક્ષો માટે રાજનીતિ કરવાનું સાધન હોય છે. આ મુદ્દાઓ પર રાજનેતાઓ પોતાની રાજકીય રોટલી શેકતા હોય છે. આંદોલનમાંથી જ અનેક નેતાઓ પેદા થાય છે. અનેક નેતાઓના ઉદાહરણ આપણી સામે છે જેમાં આંદોલનને કારણે તેઓ આગળ આવ્યા અને પછી રાજનીતિમાં જોડાઈ ગયા. આમાંથી અનેક લોકો, અનેક ઉમેદવારો એવા હશે જે આગળ જતા નેતાઓ બને. આંદોલન કરવાથી પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ તેની ખબર નથી પરંતુ જ્યાં સુધી આંદોલન ચાલે છે ત્યાં સુધી તે મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચાતું રહે છે. રાજકીય પાર્ટીઓ માટે ભલે આ મુદ્દો ચૂંટણી લક્ષી હોઈ શકે છે, માહોલ બનાવા માટે આ મુદ્દો મદદરૂપ થઈ શકે છે પરંતુ સરકારી શાળામાં બાળકો માટે એ ચર્ચાનો વિષય નથી. 

શાળામાં બાળકોના ભવિષ્યનું થાય છે ઘડતર 

સરકારી શાળામાં શિક્ષણની શું પરિસ્થિતિ છે, સરકારી શાળાની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક કિલોમીટર દૂર સુધી સરકારી શાળા નથી હોતી. શાળા હોય છે તો જર્જરિત હાલતમાં હોય છે. કોઈ શાળાઓ એવી હોય છે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ આખી શાળા એક જ શિક્ષકના આધારે ચાલતી હોય છે. શિક્ષણ મેળવવું, સારું શિક્ષણ મેળવવું દરેક બાળકનો હક છે. એ બાળક ભલે ગામડામાં રહેતો હોય કે પછી શહેરોમાં. શિક્ષણ મેળવવું દરેકનો અધિકાર છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો બાળકોને શિક્ષણ નથી મળતું તે નિષ્ફળતા કહેવાય. શિક્ષણ બાળકના ઘડતરનો પાયો છે. 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને ખાસ જરૂર હોય છે શિક્ષકોની  

આ આંદોલન રાજકીય પાર્ટી માટે મુદ્દો હતો, ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે નોકરીનો સવાલ હતો. આ આખા પ્રકરણમાં એ વિદ્યાર્થીઓને આપણે ભૂલી ગયા છે શિક્ષા માટે ઝંખી રહ્યા છે. એ બાળકો વિશે કોણ વિચારશે જેમને ધ્યાનમાં રાખી આ આંદોલનો, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક વગર શાળાની કલ્પના પણ ન કરી શકાય કારણ કે શિક્ષક વગર તો શાળા ચાલવાની જ નથી. ત્યારે જમાવટ આવા મુદ્દાઓ એટલા માટે ઉઠાવે છે કારણ કે વિદ્યાર્થીઓને સારા શિક્ષણની જરૂર છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સપોર્ટ મળી જાય છે તો તેઓ ક્રાંતિ લાવવા પણ સક્ષમ છે. જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે તે લોકોને ખાસ જરૂર હોય છે સરકારી શાળાના શિક્ષકની. 


જમાવટે વિદ્યાર્થીઓ માટે બતાવે છે આંદોલનના દ્રશ્યો 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સારૂ શિક્ષણ નહીં મળે તો તેઓ પાછળ રહી જશે. આપણે ક્યારેય વિકાસ નહીં કરી શકીએ જો અનેક લોકો શિક્ષણથી વંચિત રહેશે. જમાવટએ વિદ્યાર્થીઓ, એ બાળકોને ધ્યાનમાં રાખી આ વિરોધને વારંવાર બતાવે છે કારણ કે તે લોકોને શિક્ષકોની જરૂર છે. ખાડામાં ગયેલા શિક્ષણને બહાર કાઢવાની જરૂર છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!