Taarak Mehta શોમાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ 25 દિવસ બાદ આવ્યા ઘરે, આટલા દિવસ અહીંયા રોકાયા હતા સોઢી!


  • Published By :
  • Published Date : 2024-05-18 14:23:11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરણ સિંહ ગુમ થઈ ગયા છે તેવી ચર્ચાઓ તમે સાંભળી હશે.. ગુમ થઈ ગયા હોવાની વાત સામે આવતા તેમના પરિવારજન તેમના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ પોલીસે તેમની શોધખોળ કરી પરંતુ તે ના મળ્યા હતા.. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 17 મેના રોજ ગુરૂચરન સિંહ ઘરે પાછા આવી ગયા છે.. તે ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તેવી વાત તેમણે કરી હતી.. 22 એપ્રિલે તે દિલ્હીથી મુંબઈ આવવા માટે નિકળ્યા હતા પંરતુ તે ના તો મુંબઈ પહોંચ્યા નાતો ઘરે પાછા આવ્યા..    

ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તારક મહેતા શોના સોઢી! 

ઘણી વખત આપણામાંથી અનેક લોકોને થતું હોય છે કે બધુ છોડીને ક્યાંય જતા રહીએ..! દુનિયાદારીને છોડી દઈએ જેવા વિચારો આવતા હોય છે.. ત્યારે આવો જ કંઈ વિચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન સિહને આવ્યો અને તે ધાર્મિક યાત્રા પર નિકળી પડ્યા...! અનેક દિવસોથી તે ઘરે પરત ના આવ્યા હતા જેને કારણે તેમના પરિવારજનોને ચિંતા થઈ.. પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી પરંતુ તે ક્યાં છે તેની જાણ ના થઈ..


તેમને અચાનક અહેસાસ થયો કે...  

આ બધા વચ્ચે ગુરૂચરન સિંહ ઘરે પરત આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જેને લઈ પરિવારે રાહતનો  શ્વાસ લીધો છે... 25 દિવસોથી તે ગુમ હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે ધાર્મિક યાત્રા માટે ઘરને છોડીને જતા રહ્યા હતા. ગુરૂદ્વારામાં તે અનેક દિવસો રોકાયા.. તે અમૃતસર, લુધિયાણા જેવા શહેરોમાં ગયા અને ત્યાં આવેલા ગુરૂદ્વારામાં રોકાયા પરંતુ અચાનક તેમને અહેસાસ થયો કે તેમને ઘરે પરત ફરવું જોઈએ એટલે તે પાછા ઘરે આવી ગયા.. સોઢી ઘરે પાછા આવી જતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. 



દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે

CBSE ગવર્નિંગ બોર્ડ બેઠકમાં ડમી શાળાઓ માટે નવા કડક નિયમો બનવામાં આવ્યા છે. જેમાં બોર્ડે નોંધ્યું છે કે જે વિધાર્થીઓ મેડીકલ કે એન્જિનિયરિંગ માટેની કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારીઓ માટે કરીને ડમી શાળાઓમાં એડમીશનની લે છે. બોર્ડે કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ડમી ને બદલે ઓપેન સ્કૂલનો પર્યાય અપનાવવાની સલાહ.

ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.