વ્યાસ જયંતિના દિવસે ઉજવાય છે ગુરુ પૂર્ણિમા, જાણો કેમ આ દિવસે જ ગવાય છે ગુરૂના ગુણગાન?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:02:37

અષાઢ મહિનાની પૂનમને ગુરૂ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિષ્યના જીવનમાં જેટલું મહત્વ તેના માતા પિતાનું હોય છે તેટલું જ મહત્વ ગુરૂનું પણ હોય છે. ગુરૂના શબ્દનો અર્થ સમજીએ તો ગુનો અર્થ થાય છે અંધાર અને રૂનો અર્થ થાય છે હટાવવા વાળા. એટલે ગુરૂ શબ્દનો અર્થ થાય છે જે અંધકારને દૂર કરે છે તેને ગુરૂ કહેવાય છે. ગુરૂપૂર્ણિમા એટલે ગુરુના ગુણગાણ ગવવાનો દિવસ, તેમનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. આપણા શાસ્ત્રોમાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ વગર જ્ઞાન મેળવવું અશક્ય છે. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ગુરૂ બતાવે છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરૂ વિના જ્ઞાન નહીં. સાચુ પણ છે માતા જન્મ આપે છે પરંતુ વ્યક્તિના ઘડતરમાં ગુરૂ મહત્વનું સ્થાન ભજવે છે. બાળકને સાક્ષરતા ગુરૂથી પ્રાપ્ત થાય છે. 


આજની પૂનમે વ્યાસ પૂનમ પણ કેહવાય છે 

હિંદુ ધર્મમાં દરેક તિથિનું અલગ મહત્વ રહેલું છે. અનેક તિથિઓ પર વિશેષ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢી પૂનમના દિવસે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરૂ પૂર્ણિમા તરીકે પણ ઓળખીયે છીએ.ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ દિવસે વ્યાસજીનો જન્મ થયો હતો. વ્યાસજીને ભગવાન વિષ્ણુનો અવતાર પણ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે વેદવ્યાસે આજના દિવસે બ્રહ્મસૂત્રની રચના કરી હતી. તેમણે જ મહાભારત, 18 પુરાણો અને 18 ઉપ પુરાણોની રચના કરી હતી. એટલે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. 



અનેક લોકો આ દિવસે કરે છે માતા પિતાની પૂજા   

ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે. પહેલાના સમયમાં શિષ્યો ગુરૂના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. આજના દિવસે પણ અનેક લોકો પોતાના ગુરૂને મળવા જતા હોય છે. ગૂરૂના શરણે શિશ નમાવી આશીર્વાદ લેતા હોય છે. અનેક લોકો એવું પણ માને છે કે જો ગુરૂના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય. આ દિવસે અનેક લોકો પોતાના માતા પિતાની પૂજા પણ કરતા હોય છે. ત્યારે જમાવટ તરફથી તમામ દર્શકોને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.  


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે)



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.