ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરૂધ્ધ NIAનો સપાટો, પંજાબમાં આવેલી મિલકતો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 12:51:24

ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ પન્નુની ચંદીગઢ અને અમૃતસરમાં આવેલી પ્રોપર્ટીને ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જપ્ત કરી છે. NIAની આ કાર્યવાહીથી તે ચોંકી ગયો છે. ફરી એકવાર તેણે ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. પન્નુએ કહ્યું કે તેમની મિલકતો જપ્ત કરીને તેમને ચૂપ કરી શકાશે નહીં. પન્નુનો દાવો છે કે તેની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.


જપ્તીની નોટિસ લગાવવામાં આવી


ચંદીગઢના સેક્ટર 15માં મિલકતની જપ્તી સંબંધિત નોટિસ ચોંટાડવામાં આવી હતી. આવી જ બીજી નોટિસ પન્નુની તેમના વતન ખાનકોટમાં ખેતીની જમીન પર લગાવવામાં આવી હતી. આને ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ સામેની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના પીએમએ કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો. ભારતે આ વાતને નકારી કાઢી છે.


પન્નુ આતંકવાદીઓની ભરતી કરે છે


નિજ્જરના મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા પન્નુએ તાજેતરમાં હિન્દુઓ અને ભારતીયોને ધમકી આપી હતી.તેણે NIAની કાર્યવાહીને ભારત સરકારની નિરાશા ગણાવી હતી. તેણે કહ્યું, 'ભારત સાથેના સંઘર્ષમાં કોઈ પણ વ્યક્તિની સંપત્તિનો મુદ્દો મહત્વનો નથી. અમે ખાલિસ્તાન બનાવીશું. વર્ષ 2020માં ગૃહ મંત્રાલયે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ભારત વિરુદ્ધ આતંકવાદમાં યુવાનોની ભરતી કરી રહ્યો છે. પન્નુ હરદીપ સિંહ નિજ્જર સાથે મળીને કામ કરતો હતો.


પન્નુએ ધમકી આપી હતી


કેનેડાએ જ્યારે ભારત સાથે રાજદ્વારી વિવાદ શરૂ કર્યો ત્યારે પન્નુએ પણ હિંમત ખુલી છે. આ દરમિયાન તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડી જવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં તેણે કહ્યું, 'ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ઇનકાર કર્યો છે. તમારી મંજીલ ભારત છે, તમે કેનેડા છોડીને ભારત જાવ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.