ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની કરી જાહેરાત, ‘ડેમોક્રેટિક આઝાદ’નામ રાખ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 14:00:54

ગુલામ નબી આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તે નવી પાર્ટી બનાવશે તેવું માનવામાં આવતું હતું. આઝાદના સમર્થનમાં કાશ્મિરના અનેક અગ્રણી નેતાઓએ રાજીનામા ધરી દેતા કાશ્મિરમાં કોંગ્રેસને પણ ફટકો પડ્યો હતો. આઝાદે પણ તેમના સમર્થકો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નવી પાર્ટીની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઝાદની આ જાહેરાતથી કાશ્મિરનું આંતરિક રાજકારણ ગરમાયું હતું. 


ગુલામ નબી આઝાદે પાર્ટીના નામની કરી જાહેરાત


ગુલામ નબી આઝાદે આજે પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે. 


આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીના નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે. 


જમ્મુમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે મારી નવી પાર્ટી માટે ઉર્દૂ, સંસ્કૃતમાં લગભગ 1500 નામ અમને મોકલવામાં આવ્યા હતા. 'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણ છે. અમે ઇચ્છીએ છીએ કે નામ લોકશાહી, શાંતિપૂર્ણ અને મુક્ત હોય. ગુલામ નબી આઝાદે ગયા મહિને કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે