લ્યો બોલો! ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પહેલા ભગવાનને પત્ર લખ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 12:37:04

આજકાલ બધા ભગવાન ભરોસે છે તેવું લાગી રહ્યું છે. તે પછી ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હોય. તમામ લોકો ચૂંટણી પહેલા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. 


શું છે વિવાદ?

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પર બેસતા પહેલા ધરણીધર ભગવાનને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન ધરણી સરકારને સદબુદ્ધી આપે. 


ભગવાન ધરણીધરને શું કરી ફરિયાદ 

ગુલાબસિંહ રાજપૂતે થરાદ મતવિસ્તારના 10 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઉપવાસ પર બેસવાના છે. ભગવાન ધરણીધરને ફરિયાદ કરતા તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગવાન સરકારને સદબુદ્ધી આપે અને પોતાને ઉપવાસ પર બેસવાની શક્તિ આપે. 


કયા પડતર પ્રશ્નો મામલે કરશે ઉપવાસ 

થરાદ વિધાનસભાના 97 ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપવા, રસ્તા પાકા કરવા, નાગલા-ડોડગામ-ખાનપુરમાં પાણી નિકાલ, નર્મદા કેનાલમાંથી લીકેજનો પ્રશ્ન દૂર કરવા, ગૌશાળા માટે જાહેરાત મુજબ 500 કરોડ ચૂકવવા, જમીનોના રિસર્વે કરવા, દલીત સમાજની સ્મશાનભૂમિ નીમ કરવા જેવા મુદ્દે ગુલાબસિંહ રાજપૂત ઉપવાસ કરવા જઈ રહ્યા છે.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.