અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, નબીરો બેફામ બન્યો SG Highway પર હિટ એન્ડ રન, પોલીસનું પણ મૃત્યું


  • Published By :
  • Published Date : 2023-07-20 12:46:46

નબીરો બેફામ, છેલ્લા કેટલાય સમયનો સૌથી ભયાનક અકસ્માત, 9ના મોત

નબીરાઓ જ્યારે બેફામ થાય છે ત્યારે એક્સીલેટર પર પગ દબાવતી વખતે એમને લાગે છે કે એ રાજ્યની કાયદો વ્યવસ્થાને પગ નીચે કચડીને જઈ રહ્યા છે. અમદાવાદનો એસ.જી.હાઈવે ફરી એકવાર બેફામ મગજના કરોડપતિનો ભોગ બન્યો જ્યારે પુરપાટ ઝડપે આપવી જેગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર ઉભા રહેવા ટોળાને અડફેટે લીધું. એ ટોળામાં પોલીસના કર્મચારી પણ હતા,કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા છે.


ઈસ્કોન બ્રિજ પર આખી ઘટના થઈ, પહેલેથી જ બે ગાડીઓ ટકરાઈ હતી તો મદદ અને પોલીસની સાથે ઉભા રહેલા ટોળા પર લગભગ 160કિમી પ્રતિ કલાકની ઝડપથી આવતી જગુઆર કાર ટકરાઈ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા, અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાતનો દિકરો કાર ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે.


પ્રાથમિક દ્રષ્ટીએ મૃતકોના નામ

ધર્મેન્દ્રસિંહ - પોલીસ કોન્સ્ટેબલ

નિરવ - ચાંદલોડીયા

અક્ષય ચાવડા - બોટાદ

અમન કચ્છી - સુરેન્દ્રનગર

કૃણાલ કોડીયા - બોટાદ

અરમાન વઢવાણીયા - સુરેન્દ્રનગર

રોનક વિહલપરા - બોટાદ


ઈસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ થાર ઘુસી ગઈ હતી, લોકો આ અકસ્માત જોવા ઉભા હતા ત્યાં જ કર્ણાવતી ક્લબ બાજુથી આવતી 160કિમીની ઝડપની જેગુઆરે અસ્કમાત સર્જ્યો,  10 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને અકસ્માત કરનાર પણ ઘાયલ થતા એને સિમ્સ હોસ્પિટલ ખસેડાયો છે.

ગોતામાં પહેલેથી જ એક કેસમાં કથિત રીતે જેલની અંદર વ્યક્તિનો દિકરાએ જ અકસ્માત કર્યાનું અનુમાન છે. એની સાથે બીજો એક યુવક અને યુવતી પણ હતા, એમને પણ ઈજા થઈ છે, લોકો અને કાર ચાલક વચ્ચે સંઘર્ષ થાય એ પહેલા જ એને કોઈક બચાવીને સિમ્સમાં દાખલ કરવા લઈ ગયું. છોકરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ કોઈને ખબર નથી અને એ સિવાય બે ઈજાગ્રસ્તો નામે મિજાન શેખ અને નારણ ગુર્જરને અસારવા સિવિલમાં ખસેડાયા છે

આ લોકો કોઈ સજાથી ડરતા નથી, સિસ્ટમને પગની ધૂળ સમજે છે!

અમદાવાદના વિસ્મય શાહથી લઈને હમણાં છેક તથ્ય સુધીની વાત હોય, આ લોકોને પોતાના રૂપિયા પર એટલો ઘમંડ હોય છે કે એક્સીલેટર બેફામ બને એ પહેલા એમને વિચાર જ નથી આવતો કે અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો! એમના માટે આ માત્ર થ્રિલની વાત હોય છે. એમની થ્રિલ લોકોના ઘર, લોકોના કાળજાના ટુકડા છીનવી લે છે પણ આ લોકોને લેશમાત્ર ફરક નથી પડતો. એ સમજે છે કે આ દુનિયામાં રૂપિયાથી બધુ જ ખરીદી શકાય છે. કાયદાથી લઈ લોકોના જીવ સુધી કંઈ પણ. આ ઘટનામાં 9 લોકોને મારનાર તથ્ય પટેલના પિતાએ બચાવ કર્યો છે. પ્રજ્ઞેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી રહ્યા છે જેમાં તે કહી રહ્યા છે કે કોઇ મને મારે તો હું માર ખાવા તૈયાર, દંડ કરે તો દંડ ભરવા તૈયાર... હવે ન્યાયાલય નક્કી કરશે કે કેવી રીતે ન્યાય કરવો..... મારો દિકરો 90 કિમીએ ચલાવતો હતો. 


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!