સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ હેમખેમ અમદાવાદ પહોંચ્યા! હર્ષ સંઘવીએ કર્યું ગુજરાતીઓનું સ્વાગત!


  • Published By :
  • Published Date : 2023-04-28 11:54:38

સુદાનમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સુદાનથી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. હજી સુધી અનેક ભારતીયો પોતાના વતન આવી ચૂક્યા છે. ત્યારે સુદાનમાં યુદ્ધમાં ફસાયેલા 56 જેટલા ગુજરાતીઓ ગુજરાત પરત આવી પહોંચ્યા છે. યુદ્ધ વિરામ વચ્ચે ભારતીયોને પાછા લાવવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું અને ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે.

     

હર્ષ સંઘવીએ કર્યું ગુજરાતીઓનું સ્વાગત! 

ગુજરાતીઓ પણ સુદાનમાં ફસાઈ ગયા હતા.  મળતી માહિતી અનુસાર 72 ગુજરાતીઓએ ભારત પરત આવવાની અરજી કરી હતી. જેમાંથી 56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. ગુલાબનું ફૂલ આપીને ગુજરાતીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સરકાર અમને હેમખેમ મોતના મુખમાંથી પરત અમારા ઘરે લઈ આવી છે અમારા નસીબ છે કે અમે જીવતા છીએ.


 

56 ગુજરાતીઓ પોતાના વતન પરત ફર્યા!

સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત માદરે વતન લાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીયો હેમખેમ પોતાના વતનમાં પાછા ફરે તે માટે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન કાવેરી અંતર્ગત અનેક ભારતીયો પોતાના વતન પાછા ફર્યા છે. આ ઓપરેશન કાવેરી અંતર્ગત 56 ગુજરાતી ગુજરાત પરત ફર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. 56 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ અને ત્યાંથી ફ્લાઈટની મદદથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ત્યારે મુંબઈથી બાયરોડ અમદાવાદ લવાયા હતા. ત્યારે હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. મળતી માહિતી અનુસાર હજુ 650 જેટલા ગુજરાતીઓ સુદાનમાં ફસાયા છે.       



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.