ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાયા! રાજ્યમાં થઈ રહ્યો છે ઠંડીનો અહેસાસ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-03 10:26:18

આકરો તાપ તો ગુજરાતીઓએ સહન કર્યો છે પરંતુ હવે કડકડતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે જો ઓફિસ જવાનું હોય તો એવો વિચાર કરવો પડે કે કેટલા સ્વેટર પહેરીને જવું! ઠંડો પવન વહી રહ્યો છે જેને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઠંડી હતી પરંતુ પવન ન હતો જેને કારણે વધારે ઠંડી લાગતી ન હતી. પરંતુ ઠંડા પવનને કારણે ઠંડી પોતાનું આકરૂં સ્વરૂપ ધારણ રાજ્યમાં કરી રહી છે. દર વખતની જેમ નલિયાનું લઘુત્તમ તાપમાન એકદમ ઓછું નોંધાયું છે. 

મસૂરીમાં ભારે હિમવર્ષા… | chitralekha

અનેક રાજ્યોમાં થઈ રહી છે હિમવર્ષા 

ડિસેમ્બર મહિનામાં જોઈએ એવો  ઠંડીનો માહોલ જામ્યો ન હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના આંખોમાં પાણી હતા. માવઠાને કારણે ઠંડીનો અનુભવ ન થતો હતો. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે ત્યારે એ આગાહી હાલ સાચી પડતી લાગી રહી છે. તાપમાનનો પારો સતત ગગડ્યો છે અને નલિયાનું તાપમાન 8.4 પર પહોંચી ગયું છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. 

 

ગઈકાલથી વહી રહ્યો છે ઠંડો પવન!

બુધવારે એટલે આજે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મંગળવારે પણ એવી જ પરિસ્થિતિ હતી કે ઘરની બહાર નીકળવું કે નહીં તેનો વિચાર લોકો કરી રહ્યા હતા! ઉનાળામાં રાત્રીના સમયે લોકો બહાર જવાનું પસંદ કરે છે પરંતુ શિયાળામાં રાત્રે ધાબળા ઓઢી ઉંઘી જવાનું પસંદ કરે છે. એમ પણ શિયાળામાં ઉંઘ વધારે આવે તેવું માનવામાં આવે છે. ત્યારે બુધવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે કારણ કે આજ સવારથી પવન વહી રહ્યો છે. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.2, ગાંધીનગરનું તાપમાન 14.0, વલ્લભવિદ્યાનગરનું તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, વડોદરાનું તાપમાન 17.0, સુરતનું 17.4 જ્યારે વલસાડમાં તાપમાનનો પારો 17.0 ડિગ્રી પર પહોંચ્યો હતો. તે ઉપરાંત નલિયાનું તાપમાન 8.4, ભાવનગરનું તાપમાન 16.4, દ્વારકાનું તાપમાન 15.9, પોરબંદરનું તાપમાન 14.4  ડિગ્રી નોંધાયું હતું, રાજકોટનું તાપમાન 12.8, દીવનું તાપમાન 17.0, સુરેન્દ્રનગરનું તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!