Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-21 19:29:01

વરસાદની સિઝન હોય તો ફરવું કોને ના ગમે.. અનેક લોકો ફરવા માટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે.. ઉમાશંકર જોષીને 'વાસુકિ' અને  'શ્રવણ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.. તેમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક, નહેરુ એવૉર્ડ જેવાં અનેક નામાંકિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા... આ રચનાને તમે સાંભળી જ હશે.. 




ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.



સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.


એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો અટૂલો ઝાંખો પડ્યો.


આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.



વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..