Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,


  • Published By :
  • Published Date : 2024-07-21 19:29:01

વરસાદની સિઝન હોય તો ફરવું કોને ના ગમે.. અનેક લોકો ફરવા માટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે.. ઉમાશંકર જોષીને 'વાસુકિ' અને  'શ્રવણ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.. તેમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક, નહેરુ એવૉર્ડ જેવાં અનેક નામાંકિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઉમાશંકર જોષીની રચના - ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા... આ રચનાને તમે સાંભળી જ હશે.. 




ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.



સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.


એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો અટૂલો ઝાંખો પડ્યો.


આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે