Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા...


  • Published By :
  • Published Date : 2024-05-04 15:51:48

શબ્દનો જેટલો મહિમા છે એટલો જ મહિમા મૌનનો પણ છે... અનેક લોકો આપણી આસપાસ હોય છે જે ઘણા બોલકણા હોય છે... બોલવાની તેમની આદત હોય છે... પરંતુ અનેક એવા હોય છે જેમને મૌન વધારે પ્રિય હોય છે... શબ્દોને તે કિંમતી માને છે અને એટલા જ માટે તેમને લાગે છે કે શબ્દોને વેડફવા ના જોઈએ... ત્યારે શબ્દો અને મૌનને સમર્પિત તુષાર શુક્લની એક રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે..  


ચાલ, લઈ લઈએ થોડા અબોલા


ચાલ, લઈ લઈએ થોડા અબોલા

બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ

આપણને લાગવાના પોલા –


આપણને શબ્દોનો મહિમા સમજાય

એથી મૌનને જ બોલવા દઈએ

હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ

કહેવું હોય એ ય તે ન કહીએ

અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ

મોતી શા શબ્દો અમોલા –


બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –

તો બોલી બગાડવાનું શાને ?

મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું

દલડું સાંભળશે એક કાને

ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં

જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.