Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - શિવાજીનું હાલરડું...


  • Published By :
  • Published Date : 2024-02-19 16:11:34

આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. છત્રપતિ શિવાજી મહારાજની વીરતા વિશે તો આપણે જાણીએ છીએ. તેમની વીરતા વિશે, તેમના શોર્ય વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે તેમ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની રચના જે કદાચ તમારામાંથી અનેક લોકોને આવડતી હશે...


શિવાજીને નીંદરૂ ના’વે…


આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ

બાળુડા ને માત હિંચોળે

ઘણણણ ડુંગરા બોલે !

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઈ ઝૂલાવે.


પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત

માતાજીને મુખ જે દી થી,

ઊડી એની ઉંઘ તે દી થી.

શિવાજીને નીંદરૂ ના’વે…


પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળા જુદ્ધ ખેલાશે

સુવાટાણું ક્યાંય ન રે’શે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રહેશે નહીં, રણ ઘેલુડા

ખાવા મુઠ્ઠી ધાનની વેળા.

શિવાજીને નીંદરૂ ના’વે…


પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર,

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દી’ ઢાલનું થાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ,

તે દી તો હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની.

શિવાજીને નીંદરૂ ના’વે…


લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ,

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,

તે દી તારા મોઢડા માથે

ઘુંવાધાર તોપ મંડાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ,

તે દી તારી વીર પથારી

પાથરશે વીશ ભુજાળી.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય,

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર બંધૂકા.

શિવાજીને નીંદરૂ ના’વે…


સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ,

જાગી વે’લો આવ બાલુડા

માને હાથ ભેટ બાંધવા.

શિવાજીને નીંદરૂ ના’વે…


જાગી વે’લો આવજે વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઇ ઝૂલાવે.


બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !


 


– ઝવેરચંદ મેઘાણી




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.