Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં....


  • Published By :
  • Published Date : 2024-07-31 18:17:43

આપણે ત્યાં માનવામાં આવે છે કે કૃષ્ણ વગર રાધા અધૂરા અને રાધા વગર રાધા અધૂરા.. રાધા કૃષ્ણનું નામ જોડે લેવામાં આવે છે... જ્યારથી કૃષ્ણ ભગવાને વ્રજ છોડ્યું ત્યારથી તેમણે વાંસળી વગાડી ના હતી. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે ઘણું બધું લખાયું છે, બોલાયું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ રાધાને સમર્પિત એક રચના...     


રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં

ત્યાં માધવની વેણું ઉઠી વાગી

બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,

રાધા પણ ઝબકીને જાગી…


મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના

ને,રહું આઠે પ્રહર હું આનંદમાં

અભરખાના વન તો અડાબીડ ઉગ્યાં

તને પામવાં દોડું વૃંદાવનમાં

ગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથી

દ્વારિકાની લગની તને લાગી….


કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે

મ્હેકીં ઉઠ્યું વાંસવન

રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી

વ્યાકુળ થૈ ગ્યું તન,મન

રાજા રણછોડ ક્યારે વૃજમાં પધારશો

રાધાની અરજી અનુરાગી…       


— વિનોદ માણેક, ચાતક



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે