Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.


  • Published By :
  • Published Date : 2024-05-10 16:19:15

જ્યારે કોઈ વખત આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે આપણે કહીએ કે ભગવાનની ઈચ્છા ના હતી..  ભગવાન પર રાખેલો વિશ્વાસ આપણને ક્યારેય અંદરથી નથી ટૂટવા દેતો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જેની પ્રાર્થના આપણે કરી હશે.., 



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!


દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!


કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.

જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.

નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.

દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!


વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!


રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે

પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!


અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો

ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!


અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?

અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.


લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.


વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,

વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.


રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !


કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !


– બાલાશંકર કંથારીયા



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.