Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સાંઈરામ દવેની રચના - એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે....


  • Published By :
  • Published Date : 2024-02-05 16:50:07

સંતાન અને માતાના સંબંધ વિશે આપણે જાણીએ છીએ. માતા અને બાળક વચ્ચેના સ્નેહને શબ્દમાં વર્ણવવી કદાચ અશક્ય છે. જો પ્રયત્ન કરીએ તો શબ્દો ખુટે તેમ હોય છે. પરંતુ અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે દીકરાની ઝંખનાને કારણે અનેક દીકરીઓને મા બાપ જન્મવા જ નથી દેતા. ગર્ભમાં હોય ત્યારે જ બાળકીને મારી નાખે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે માતાને તો દીકરી જોઈતી હોય છે, માતા દીકરી રૂપી સંતાન ઝંખતી હોય છે પરંતુ પરિવારના દબાણને કારણે માતા કઈ કરી શકતી નથી.


ભૃણ હત્યા કરવામાં આવતી હતી બાળકીની!

પહેલાના સમયમાં ભૃણ હત્યા વધારે થતી હતી, અનેક બાળકીને જન્મ થાય એની પહેલા જ મારી નાખવામાં આવતી હોય છે. પરંતુ આજના સમયમાં આવા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. બાળકીઓને મારી નાખવામાં આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે સાંઈરામ દવેની એવી રચના જેમાં પુત્રી માતાને પત્ર લખે છે અને બાળકીને ના મારવા માટે કહે છે.    



એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે, 

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે


એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા

પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,

હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે..


તુ'ય કોકની દીકરી યાદ છે, તું'ય કોકની થાપણ!

વાંક શું મારો? કા આપ્યું આ જનમની પેલા ખાપણ.

તું દીકરી માટે ઝંખે પણ કલંક માં ના નામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...



ભૃણની હત્યા નથી માત્ર આ, છે મમતાનું મોત,

તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત

ઓળખી જાજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,

આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,

હવે તો દીકરી તારો, વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?

બંધ કરો  આપાપ, માફ તો ઈશ્વર પણ ના કરશે,

સાંઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે

સરનામામાં પોસ્ટ કરૂણાં મુકામ મમતા ગામે...

  સાંઈરામ દવે  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.