Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો અમૃત ઘાયલની રચના - રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના...


  • Published By :
  • Published Date : 2024-01-16 13:58:19

જેમ માણસના ચહેરા અલગ હોય છે તેમ લોકોના સ્વભાવ પણ અલગ હોય છે. કોઈ માણસ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે તો કોઈ માણસમાં આત્મવિશ્વાસની કમી હોય છે, કોઈ માણસ પોઝિટિવ વિચાર વાળો હોય છે તો કોઈ માણસ નેગેટિવ વિચાર વાળો હોય છે. કોઈ માણસને માત્ર મુશ્કેલી જ દેખાતી હોય તો કોઈને મુશ્કેલીમાં પણ રસ્તો દેખાતો હોય છે. મુશ્કેલીમાં બહાર આવવા માટે રસ્તો શોધતા અનેક માણસો હોય છે. 


આત્મવિશ્વાસને લઈ કવિ કહી રહ્યા છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે અમૃત ઘાયલની રચના જેમાં તે આત્મવિશ્વાસ, આત્મબળ વિશે વાત કરી રહ્યા છે. મૂંઝવણમાં પણ આત્મવિશ્વાસ રાખવાથી રસ્તો મળી જાય છે તેની વાત કવિએ પોતાની રચનામાં કરી છે. ત્યારે આજે વાંચીએ અમૃત ઘાયલની રચનાને....


રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?


નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,

બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!


કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?

દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!


છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!

એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!


મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે

પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!


એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,

હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!


સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!

સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!


સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!

દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!


અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,

ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!


દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?

આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.


અમૃત ‘ઘાયલ’   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.