Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું


  • Published By :
  • Published Date : 2024-09-27 16:57:55

અનેક લોકો એવા હોય છે જે થોડું હાંસલ કરી લે છે પછી આગળ નથી વધતા.. ગતિમાન નથી રહેતા.. જીવનમાં તોફાનો હોય છે પરંતુ તેનાથી કેવી રીતે ઝઝુમવું તેની ખબર નથી હોતી. જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની એવી રચના જે મુખ્યત્વે બધાને ખબર હશે...  


જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.


અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે.


હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.


અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,

સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજાઓ હતી રાતે રાતે,

ને સંતાપ એનો સવારે સવારે.


નથી ઝંખના મારી ગમતી જો તમને,

તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશો તો,

થતી રહેશે ઈચ્છા વધારે વધારે.


અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

તમારી દિશામાં મિનારે મિનારે.


જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

ફકત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

નવી સગવડો છે ઉતારે ઉતારે.


મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,

‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધે કાંધે,

જીવન પણ ગયું છે સહારે સહારે

– મરીઝ




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે