Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પટેલની રચના- મેવા માટે કરવી સેવા એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે...


  • Published By :
  • Published Date : 2024-03-11 16:47:00

આજકાલ માણસ એટલી જલ્દી સંબંધ બાંધી અને કાપી દે છે જેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. એ માણસ સામાન્ય હોય કે પછી નેતા હોય. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં તે ઢળી પડે અને મુશ્કેલ સમયમાં કોણે સાથ આપ્યો હતો તે પણ ભૂલી જાય છે. અનેક ધારાસભ્યો પોતાના પદને છોડી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે અને આવનાર દિવસમાં હજી પણ પોતાના પક્ષને અલવિદા કહી જવાના છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નવા યુગનો ચેલો છું....  



નવા યુગનો ચેલો છું

નવા યુગનો ચેલો છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું

પવન પ્રમાણે શઢ ફેરવી,

લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..


ભવ્ય આશ્રમ નજરે પડતાં

તુરત જ ડેરા ડાલું છું

ગુરુની પાસે કંઠી બંધાવી

મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..


જેની હાકો વાગે સરકારમાં

એ નેતાને પીંછાણું છું

ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે

વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..


છપ્પન ભોગના થાળ દેખીને

દંડવતે ભગવંત શરણું શોધું છું

ભજન ધૂનો ગાઈ માઈકમાં

ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..


એડમીશન ટાણે શાળામાં જઈ

મુખ્ય શિક્ષકને વધાવું છું

ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને

લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..


મેવા માટે કરવી સેવા

એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે

પવન પ્રમાણે શઢ ફેરવી

લાભ મળે ત્યાં લોટું છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું.


– રમેશ પટેલ ‘આકાશદીપ’



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.