Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના - હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ...!


  • Published By :
  • Published Date : 2024-03-09 16:15:55

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથી છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના.. અમારી વેદના...   



હજારો વર્ષની જૂની અમારી વેદના;

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;

સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!


અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!

ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!

વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!

અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!


પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –

અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!

દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:

ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?


જુઓ આ,તાત!ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,

જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,

જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:

સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!


ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!

ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!

લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!

મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!


તૂટે છે આભઊંચા આપણા આશામિનારા,

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.


- ઝવેરચંદ મેઘાણી




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.