Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ઉત્સાહનો એક શબ્દ કહેતાં....


  • Published By :
  • Published Date : 2024-02-17 17:59:48

સમય કોઈના માટે નથી રોકાતો... તે આપણે જાણીએ છીએ. ક્ષણ દુખનો હોય કે ખુશીનો હોય તે વીતિ જાય છે. અનેક લોકો ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડી દેતા હોય છે. વર્તમાનના ક્ષણને માણવાની જગ્યાએ તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળમાં જીવે છે અથવા તો ભવિષ્યમાં જીવે. આપણા જીવનમાં એક ક્ષણની ખુબ મહત્તા છે. એક ક્ષણમાં આપણને દુખી થઈ જતા હોઈએ છીએ તો બીજા ક્ષણમાં આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના -  



ઉત્સાહનો એક શબ્દ કહેતાં


ઉત્સાહનો એક શબ્દ કહેતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


ઝરતા આંસુને લૂછવા માટે

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મદદ માટે હાથ લંબાવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


સમજવાનો પ્રયત્ન કરવા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મિત્ર મેળવતાં ને તેને જાળવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇ ભાંગેલા હૈયાને સાંધતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇનો દિવસ ઉજાળતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


તો પછી, આ જ ક્ષણને જડી દ્યો

… તે સરકી જાય તે પહેલાં.


– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.