Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સ્વપ્ન..


  • Published By :
  • Published Date : 2024-09-07 16:30:37

આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય..  જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. લાગણીઓના મહેલોથી તેમની જીંદગી હોય તેવી ઈચ્છા દરેકના મનમાં હોય છે. એવી દુનિયા જોઈએ જ્યાં દ્વેષ ના રોગ, ગુસ્સો ના હોય માત્ર ખુશીઓ જ ખુશીઓ હોય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...  


મેં એક સ્વપ્નની દુનિયા બનાવી હતી

લાગણીઓના મહેલોથી એને સજાવી હતી


સુખ દુ:ખની ઈંટોથી બન્યા હતા દરેક ઘર,

ને હાસ્ય એ દરેક ઘરની ચાવી હતી


રાગ-દ્વેષની ભાવનાથી પરે હતા સૌ કોઈ

મેં ખુશીઓને ત્યાં રહેવા માટે મનાવી હતી


પર્વતો, દરિયા, નદીઓને લીલાછમ ઉપવનો

મેં કુદરતની દરેક સુંદરતા એમાં સમાવી હતી


તૂટ્યું સ્વપ્નને જાણે તૂટી ગઈ એ દુનિયા પણ

કારણ કે એમાં પણ માનવજાત બનાવી હતી..        



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?