Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારની રચના - કાળા બજારીઓનો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-31 16:39:33

ભ્રષ્ટાચારના મુળીયા આપણી સિસ્ટમમાં એ હદે ફેલાયેલા છે કે તેનો જડમૂળથી નાશ કરવો જાણે અસંભવ થઈ ગયો છે. આજ કાલ તો જાણે ભ્રષ્ટાચાર કરવાની ફેશન થઈ ગઈ હોય તેવું લાગે છે. જો કોઈ ભ્રષ્ટાચાર કરવાની ના પાડે છે તો લોકો તેને મુર્ખ સમજે છે.. નાની વાતમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પૈસા કમાવાની એટલી બધી લાલચ થઈ ગઈ છે કે લોકોના જીવને જોખમમાં મૂકતા પહેલા વિચારતા પણ નથી. પૈસા મળે છે ને એવું વિચારે છે.. ભ્રષ્ટાચાર કરનાર વિશે આપણે વાત કરીએ છીએ પરંતુ જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તેના વિશે વાત નથી કરતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારને લઈ લખાયેલી રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


કાળા બજારીઓનો ધંધો ચાલે જોરદાર

મહેનત કરતા માનવીનો પરસેવાની ધાર


ઠંડા ઘરમાં બેસી કમાય રૂપિયા હજાર

ફૂટપાથ પર ગરીબોની લાંબી કતાર


તાર તાર જીંદગી અશ્રુઓની ધાર

કોને પડી ગરીબોની, જીવો શાનદાર


પ્રામાણિકતાની વાત હવે થઈ નામશેષ

મલિન લોક ધરે શાલીનતાનો વેશ


ભ્રષ્ટાચારીઓએ કેમ જાણ આવું કરે કામ?

આપણે જ આપીએ ખુરશી નીચેથી દામ



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.