Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારની રચના - કાળા બજારીઓનો...


  • Published By :
  • Published Date : 2024-08-31 16:39:33

ભ્રષ્ટાચારના મુળીયા આપણી સિસ્ટમમાં એ હદે ફેલાયેલા છે કે તેનો જડમૂળથી નાશ કરવો જાણે અસંભવ થઈ ગયો છે. આજ કાલ તો જાણે ભ્રષ્ટાચાર કરવાની ફેશન થઈ ગઈ હોય તેવું લાગે છે. જો કોઈ ભ્રષ્ટાચાર કરવાની ના પાડે છે તો લોકો તેને મુર્ખ સમજે છે.. નાની વાતમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પૈસા કમાવાની એટલી બધી લાલચ થઈ ગઈ છે કે લોકોના જીવને જોખમમાં મૂકતા પહેલા વિચારતા પણ નથી. પૈસા મળે છે ને એવું વિચારે છે.. ભ્રષ્ટાચાર કરનાર વિશે આપણે વાત કરીએ છીએ પરંતુ જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તેના વિશે વાત નથી કરતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારને લઈ લખાયેલી રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


કાળા બજારીઓનો ધંધો ચાલે જોરદાર

મહેનત કરતા માનવીનો પરસેવાની ધાર


ઠંડા ઘરમાં બેસી કમાય રૂપિયા હજાર

ફૂટપાથ પર ગરીબોની લાંબી કતાર


તાર તાર જીંદગી અશ્રુઓની ધાર

કોને પડી ગરીબોની, જીવો શાનદાર


પ્રામાણિકતાની વાત હવે થઈ નામશેષ

મલિન લોક ધરે શાલીનતાનો વેશ


ભ્રષ્ટાચારીઓએ કેમ જાણ આવું કરે કામ?

આપણે જ આપીએ ખુરશી નીચેથી દામ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.