Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - માણસ છીએ..


  • Published By :
  • Published Date : 2024-08-01 18:06:11

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે માણસને ઓળખવા અઘરા છે..  ઘણી વખત થાય કે માણસને સમજવું અઘરૂં છે પરંતુ અનેક માણસો એવા હોય જેમને મળ્યા બાદ લાગે કે આ માણસ તો સારા છે. કોઈ માણસ બીજાનું દુ:ખ જોઈને હસી લે છે તો કોઈ વખત બીજાનું દુ:ખ જોઈ દુ:ખી થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના માણસ છીએ.... આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  


માણસ છીએ ક્યારેક લડી લઈએ છીએ

તો ક્યારેક સાથે મળીને હસી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક કાતર બની તોડી દઈએ છીએ 

તો ક્યારેક સોય બની જોડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખી જોઈ દુખી થઈ જઈએ છીએ

તો ક્યારેક કોઈકનું દુ:ખ જોઈ મનમાં હસી લઈએ છીએ.


ક્યારેક માગેલું નાં મળે તો ભગવાન સાથે લડી લઈએ છીએ

ક્યારેક વણ માંગેલું મળી જાય તો ઈશ્વરનો આભાર માની લઈએ છીએ


માણસ છીએ ક્યારેક દુ:ખમાં ભાંગી પડીએ છીએ

તો સુખમાં થોડું અભિમાન કરી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ધન સંપત્તિની પાછળ આંધળી દોટ મૂકીએ છીએ

તો ક્યારેક ઘરમાં રહેલા માતા પિતાને રાજી કરી ઈશ્વરને પણ મનાવી લઈએ છીએ


માણસ છીએ ક્યારેક ખોટા લોકોની તરફેણ કરી લઈએ છીએ

તો ક્યારેક સાચાને જીતાડી દઈએ છીએ


માણસ છીએ ક્યારેક આત્માને છેતરી લઈએ છીએ

તો ક્યારેક સારા કર્મો કરી આખરતનું ભાથું બાંધી લઈએ છીએ


માણસ છીએ જાણે અજાણે ઘણી ભૂલો કરી લઈએ છીએ

તો ક્યારેક ભૂલોનો પસ્તાવો પણ કરી લઈએ છીએ...



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.